13 ફેબ્રુઆરીએ યોજાનાર બિન સચિવાલયની પરીક્ષામાં વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા રહ્યા હોવાનું યુવરાજસિંહે આપ્યું નિવેદન
પેપરલીક મામલે યુવરાજસિંહનું નિવેદન
કૌભાંડીઓને સજા થાય - યુવરાજસિંહ
અનેક વખત પેપર ફૂટ્યા - યુવરાજસિંહ
પેપર લીકમાં થયેલી તપાસ મામલે ફરી યુવરાજસિંહ જાડેજાએ સરકાર સામે બાયો ચડાવી છે. બિન સચિવાલયથી હેડક્લાર્ક અને હવે ઉર્જા વિભાગની ભરતીમાં થયેલી ધપલાબાજી અને તેમાં થયેલી કાર્યવાહી પર યુવરાજસિંહે બપોરે એક વાગ્યે પ્રેસ સંબોધન કરી આકરા પ્રહાર કર્યા છે. યુવરાજ સિંહનું કહેવું છે કે પેપર લીક મામલે કોઈ કાર્યવાહી નથી થઈ ખાસ કરીને જવાબદાર અધિકારીઑ સામે. તેમણે સરકારની તપાસ સામે આરોપ કરતાં કહ્યું છે કે છાસવારે પેપર ફૂટવાની ઘટના બને છે હજુ સુધી બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કોઈ ફરિયાદ થઇ નથી. આરોપીઓ હજુ પણ ફરાર છે.
સાબરકાંઠા અને અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં OMR સેટિંગ થાય છે: યુવરાજસિંહ
યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે અગામી પરિક્ષાઓમાં જે ગેરરીતી થઈ છે. તેવી હવેની પરિક્ષામાં ન થવી જોઈએ. OMR શીટમાં સેટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમા સાબરકાંઠા અને અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગરમાં સેટિંગ થાય છે તે વાતનો તેમણે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી નાણા આપવામાં આવે છે. જેથી કૌભાંડીઓને સજા મળવી પણ જરૂરી છે.
13 ફેબ્રુઆરીએ યોજાનાર બિન સચિવાલયની પરીક્ષામાં વિશ્વસનીયતા પર: યુવરાજસિંહ
OMRમાં સેટિંગ કરવામાં આવતું હોવાના દાવા સાથે તેમણે સાબરકાંઠા,અરવલ્લી,મહેસાણા,સુરેન્દ્રનગર,ભાવનગર જિલ્લાનો ખાસ ઉલ્લેખ કરી આ જિલ્લામાં OMRમાં ગોઠવણ કરી ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થાય પછી નાણાં આપવામાં આવે છે તેવો ઘટસ્ફોટ કર્યો છે. ત્યારે હવે 13 ફેબ્રુઆરીએ યોજાનાર પરીક્ષામાં વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે. હાલ તો વિધાર્થીઓ હવે આગળની પરીક્ષાઓ પારદર્શક રીતે લેવાય તેવી માંગ કરી રહ્યા છે.