ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ તમામ વીમા કંપનીઓને કોરોના કવચ પોલિસીને ગ્રુપ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ તરીકે વેચવાની મંજૂરી આપી દીધી છે. ઈરડાના આ નિર્ણય પછી હવે તમામ ખાનગી અને સરકારી કંપનીઓ અને સંસ્થાઓ તેમના કર્મચારીઓ માટે કોવિડ-19 આરોગ્ય વીમા પોલિસી ખરીદી શકશે. આ હેઠળ જો કોઈ કર્મચારીને કોરોના થઈ જાય તો કંપનીઓ માટે તેમની સારવાર કરવી ખૂબ જ સરળ થઈ જશે.
સામાન્ય જનતા માટે સારાં સમાચાર
ઈરડાએ બદલ્યા હેલ્થ ઈન્શ્યોરન્સના નિયમ
લાખો લોકોને થશે ફાયદો
ડોક્ટર્સ, નર્સ અને સ્વાસ્થ્ય કર્મચારીઓના ગ્રુપમે 5 ટકા છૂટ
ઈરડા મુજબ, આ સ્ટાન્ડર્ડ ગ્રુપ પોલિસીથી દેશની તમામ ખાનગી અને સરકારી કંપનીઓને તેમના કર્મચારીઓને કોરોના વાયરસથી સારવાર આપવામાં મદદ કરશે. જો કોઈ ગ્રુપમાં કોરોના વાયરસનો સામનો કરી રહેલાં ડોક્ટર્સ, નર્સ અને સ્વાસ્થ્ય કર્મચારી છે તો તેમને પોલિસી ખરીદવા પર 5 ટકા છૂટ પણ આપવામાં આવશે. આ છૂટ કોવિડ-19 સામેની તેમની જંગ પ્રત્યે સન્માન તરીકે આપવામાં આવશે.
કોરોનાના ઈલાજ માટે વીમા કવર ઉપલબ્ધ કરાવે છે પોલિસી
કોવિડ 19ના સંક્રમણને ધ્યાનમાં રાખીને, લગભગ તમામ જનરલ અને આરોગ્ય વીમા કંપનીઓએ 10 જુલાઈથી કોરોના કવચ પોલિસી શરૂ કરી હતી. જેનો ઉદ્દેશ લોકોને આ મહામારીની સારવાર માટે સસ્તામાં એક આરોગ્ય વીમા કવર આપવાનો છે. આમાં પોલિસી સાડા ત્રણ મહિનાથી સાડા નવ મહિના માટે વેચાઇ રહી છે. આમાં વીમાધારકના તબીબી ખર્ચની મહત્તમ રકમ 5 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
મિનિમમ પ્રીમિયલ 208 રૂપિયામાં ખરીદી શકાશે
આ પોલિસી લોન્સ થયા પછી વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. મોટાભાગના યુવાનો તેને ખરીદી રહ્યા છે. આ પોલિસી એકદમ વાજબી દરે મળી રહી છે. આને મંથલી 208 રૂપિયા સુધીના ઓછામાં ઓછા પ્રીમિયમ પર લઈ શકાય છે, જે ખૂબ જ સસ્તું છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને દિલ્હી-એનસીઆર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. વ્યક્તિ કોરોના કવચ પોતાના માટે, તેમના જીવનસાથી, માતાપિતા, સાસુ-સસરાં અને 25 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખરીદી શકે છે.