IPL 2022ની શરૂઆત પહેલા ટૂંક સમયમાં મેગા ઓક્શન થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે મેગા ઓક્શન પહેલા હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે રિર્ટન કર્યા
IPL 2022 પહેલા યોજાશે મેગા ઓક્શન
આ ટીમમાં સાથે જોડાશે હાર્દિક અને કૃણાલ પંડ્યા
મુંબઈ ઈન્ડિયન્સે બંને ખેલાડી રિર્ટન કર્યા
IPL 2022ની શરૂઆત પહેલા ટૂંક સમયમાં મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે.
આ મોટી ઈવેન્ટના આગમન પહેલા જ તમામ ટીમોએ પોતાના ખેલાડીઓને રિટેન કરીને બહાર કરી દીધા છે. આ મેગા ઓક્શનમાં લખનૌ અને અમદાવાદ નામની વધુ બે ટીમો જોડાવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે મેગા ઓક્શન પહેલા હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યાને રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સે રિર્ટન કર્યા. પરંતુ હવે ટીમનું નામ સામે આવ્યું છે જે આ બંને ખેલાડીઓને પોતાની સાથે જોડવા જઈ રહી છે.
પંડ્યા બ્રધર્સ આ ટીમ સાથે રમશે
તમને જણાવી દઈએ કે હાર્દિક અને કૃણાલ પંડ્યાને લઈને સતત અટકળો ચાલી રહી હતી કે આ બંને ખેલાડીઓ હવે કઈ ટીમમાં રમશે. આ રિપોર્ટમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે હાર્દિક અને કૃણાલ કઈ ટીમમાંથી રમવાના છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર એવું સામે આવ્યું છે કે પંડ્યાભાઈ હવે અમદાવાદની ટીમ માટે રમતા જોવા મળશે.અમદાવાદની ટીમ માને છે કે હાર્દિક પંડ્યા વધુ સારો ફિનિશર ઓલરાઉન્ડર છે જેની તેઓને શોધમાં છે.
આ મોટું કારણ સામે આવ્યું
આ બંને ભાઈઓને અમદાવાદમાં સામેલ કરવા પાછળનું મોટું કારણ રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. ખરેખર, હાર્દિક અને કૃણાલના ગુજરાત કનેક્શનને કારણે ચાહકોની રમત સારી રહેશે અને તે અમદાવાદ માટે સારું રહેશે. હાર્દિક અને કૃણાલનું અમદાવાદ સાથેનું જોડાણ હરાજી પહેલા જ નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. આ બંને ભાઈઓના કારણે મુંબઈએ IPLની સૌથી સફળ ટીમ બનવામાં ઘણી સફળતા મેળવી છે.
IPL 2022 મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા બંનને રિર્ટન કર્યા
તમને જણાવી દઈએ કે IPL 2022 મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હાર્દિક અને કૃણાલને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. મુંબઈએ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ અને કિરોન પોલાર્ડને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માને 16 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. બુમરાહને 12 કરોડ રૂપિયામાં, સૂર્યકુમારને 8 કરોડ રૂપિયામાં અને પોલાર્ડને 6 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.
બંને માટે ખરાબ રહી આપીએલની 2021ની સિઝન
તમને જણાવી દઈએ કે 2021ની IPL હાર્દિક અને કૃણાલ પંડ્યા માટે ખૂબ જ ખરાબ રહી હતી. હાર્દિકે 2021ની સિઝનમાં 12 મેચ રમી હતી પરંતુ તે 14.11ની એવરેજથી માત્ર 127 રન જ બનાવી શક્યો હતો અને છેલ્લી બે સિઝનમાં તેણે એક પણ બોલ ફેંક્યો નહોતો. બીજી બાજુ કૃણાલે પણ ઘણો સંઘર્ષ કર્યો છે, તેણે 13 મેચોમાં 14.3 ની સરેરાશથી માત્ર 143 રન બનાવ્યા, જ્યારે 2021 સીઝનમાં માત્ર 5 વિકેટ લીધી.