કોલકત્તા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સની ટીમને હરાવીને આઈપીએલની ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી દીધુ છે. જ્યાં તેનો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. પરંતુ ટીમના સિનિયર પ્લેયર અને પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકને ઝાટકો લાગ્યો છે.
કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલની ફાઈનલમાં સ્થાન પાક્કુ કર્યુ
ટીમના સિનિયર પ્લેયર અને પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકને લાગ્યો ઝાટકો
દિનેશ કાર્તિકને IPLની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે લગાવાઈ ફટકાર
દિનેશ કાર્તિકને આચાર સંહિતાના ઉલ્લંઘન માટે લગાવાઈ ફટકાર
કોલકત્તા નાઈટ રાઈડર્સના વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકને આઈપીએલની આચાર સંહિતાના ઉલ્લંઘન માટે ફટકાર લગાવવામાં આવી છે. આઈપીએલે જાહેરાત કરી કહ્યું છે કે બુધવારે શારજાહમાં દિલ્હી કેપિટલ્સની સામે ક્વોલિફાયર-2 મુકાબલા દરમ્યાન તેમણે આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ. આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહીં. જેના કારણે ફટકાર લગાવવામાં આવી છે. પરંતુ અંતમાં રોમાંચક મુકાબલામાં આઉટ થયા બાદ કાર્તિકે હતાશામાં આવીને સ્ટમ્પ ઉખાડી નાખ્યા હતા.
મેચ રેફરીનો અંતિમ નિર્ણય સર્વમાન્ય
જેમાં કહેવામાં આવ્યું, કાર્તિકે આઈપીએલની આચાર સંહિતાની કલમ 2.2નો ઉલ્લંઘન એટલેકે લેવલ-1નો ગુનો સ્વીકાર કર્યો છે. જેના માટે મેચ રેફરીનો અંતિમ નિર્ણય સર્વમાન્ય હોય છે. કોલકત્તા નાઈટ રાઈડર્સે ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. હવે આઈપીએલની ફાઈનલ મેચમાં 15 ઓક્ટોબરે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમો સામ-સામે રમશે.