આઈપીએલના આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સારું નથી રહ્યું. એવામાં કાલે પણ ફરીથી હાર બાદ ધોનીએ મોટું નિવેદન આપ્યું.
રવિન્દ્ર જાડેજાએ કરી છેલ્લી ઓવર
બ્રાવો ઈજાગ્રસ્ત હોવાના કારણે જાડેજાને બોલિંગ આપી : ધોની
શિખર ધવને 101 રન ફટકાર્યા
આઈપીએલમાં શિખર ધવને 101 રન ફટકારીને જે ધુઆંધાર બેટિંગનું પ્રદર્શન કર્યું અને શિખર ધવનના કારણે દિલ્હીની ટીમ ચેન્નઈને હરાવી શકી. આ મેચ બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે ડ્વેન બ્રાવો ઈજાગ્રસ્ત થઇ ગયા હતા અને તે મેદાનની બહાર હોવાના કારણે છેલ્લી ઓવર રવીન્દ્ર જાડેજાને આપવી પડી.
ધોનીએ કહ્યું કે બ્રાવો ફિટ ન હતા અને તે મેદાનની બહાર જતા રહ્યા હતા જે બાદ તેઓ પાછા ન આવ્યા. મારા પાસે જાડેજા અથવા કરણ શર્માથી બોલિંગ કરાવવાનો વિકલ્પ હતો. મેં જાડેજાની પસંદગી કરી. ધોનીએ વધુમાં કહ્યું કે શિખરની વિકેટ મહત્વપૂર્ણ હતી, પણ કેટલીય વાર કેચ છોડી દીધો. જે બાદ તેમણે બેટિંગ ચાલુ રાખી અને સ્ટ્રાઈક રેટ પણ સારો હતો.
નોંધનીય છે કે દિલ્હીને જીત માટે છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતું. જેમાં પહેલી બોલ વાઈડ રહી, જે બાદ અક્ષર પટેલે જાડેજાની બીજી અને ત્રીજી બોલર પર સતત બે સિક્સ ફટકારી દીધી અને ચોથી બોલ પર બે રન લીધા. તે બાદની બોલ પર સિક્સ ફટકારીને દિલ્હીએ મેચ પોતાના નામે કરી લીધી.
ધોનીએ કહ્યું કે પીચ સરળ હોવાના કારણે વધારે મુશ્કેલી પેદા થઇ. તેમણે કહ્યું કે પહેલા બેટિંગ કરનાર ટીમથી 10 રન બનાવ્યા જ્યારે પછી બેટિંગ કરતી ટીમે દસ રન વધારે બનાવ્યા.