વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજથી શરૂ થઇ રહી છે. 53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ત્યારે આ વખતે IPLમાં કોરોનાના કારણે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ક્રિકેટપ્રેમીઓની આતુરતાનો અંત
દુબઈમાં IPL-2020 લીગનો પ્રારંભ
મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે પ્રથમ મેચ
નવા ફેરફારમાં ટીમને અનલિમિટેડ કોરોના સબસ્ટીટ્યુટ મળશે. ઉપરાંત IPLમાં પ્રથમ વખત બોલને ચમકાવવા માટે બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય પ્લેયર સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરી શકાશે. આ વખતે ફ્રન્ટફુટનો બોલ ફિલ્ડને બદલે થર્ડ અમ્પાયર જોશે. ત્યારે લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતરી રહ્યા છે.
અગાઉ આવો રહ્યો છે બંને ટીમનો સ્કોર
આ બંને ટીમોએ એકમેક સાથે 28 મેચ રમી ચૂકી છે. 17 વખત મુંબઈ ઈન્ડિયન્સને જીત મળી છે તો 11 વખત CSKએ બાજી મારી છે. યૂએઈની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સે અહીં રમાયેલી 2014 આઈપીએલ સીઝનના પહેલી પારીમાં પાંચ ચાન્સ ખોવ્યા અને એવામાં હવે મુંબઈ પાસે પહેલી જીત મેળવવાની ચુનોતી હશે.
રૈના અને ભજ્જી વિના રમશે CSK ટીમ
ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તેને પહેલાંથી જ 2 ઝટકા મળી ચૂક્યા છે. સુરેશ રૈના અને હરભજન સિંહ વ્યક્તિગત કારોથી આ વખતે આઈપીએલ નહીં રમી શકે. બંને સીએસકે ટીમની મુખ્ય કડી ગણાય છે. એવામાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે લક્ષ્ય મોટું રહેશે. ધોની એ કપ્તાન છે જે કોઈ પણ રીતે ટીમને સંભાળી લે છે અને નક્કી આ બંને ખેલાડીઓ વિના ટીમને આગળ કઈ રીતે લઈ જવી તે ધોનીએ વિચારી લીધું હશે.
કોણ પૂરી કરશે રૈનાની ખામી
મળતી માહિતી અનુસાર નંબર 3 પર રૈનાના બદલે કેદાર જાધવ ઉતરી શકે છે. કેમકે ઋતુરાજ ગાયકવાડ પણ હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી અને મેચની બહાર જ બેસશે. આ સમયે ટીમની સલામી જોડીનો દોર શેન વોટસન અને અંબતિ રાયડૂ પર રહેવાની સંભાવના છે. ફાફ ડુ પ્લેસિસને પણ વોટસનની સાથએ પારીની શરૂઆતમાં રહેવાની સંભાવના છે. મધ્યક્રમની જવાબદારી ડ્વેન બ્રાવો અને ધોની પર રહેશે. જેઓ ઝડપથી રન બનાવી શકે છે અને મુશ્કેલીમાં પારીને સંભાળી પણ શકે છે.