ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રવિવારે થનારી IPL 2018ની ફાઇનલમાં જોરદાર સંઘર્ષ જોવા મળે એવી આશા છે. આમ તો આ સત્રમાં CSK ત્રણ વખત સનરાઇઝર્સને હરાવી ચુક્યું છે પરંતુ ફાઇનલમાંએ આ ટીમને નબળી માનવાની ભૂલ કરશે નહીં. મહેન્દ્રસિંહ ધોનીની સીએસકે ત્રીજા પુરસ્કાર માટે જ્યારે કેન વિલિયમ્સની સનરાઇઝર્સ બીજા પુરસ્કાર માટે મેદાનમાં ઊતરશે. વિજેતા ટીમને ટ્રોફી ઉપરાંત 20 કરોડ રૂપિયા આપવામાં આવશે. ઉપવિજેતા ટીમને 12.5 કરોડ રૂપિયા આપવામાં આવશે.
IPL 2018માં શનરાઇઝર્સ અને ચેન્નાઇ અંક તાલિકામાં ક્રમશ: પહેલા અને બીજા ક્રમ પર રહી હતી. ત્યારબાદ એમની વચ્ચે પહેલા ક્વોલીફાયરમાં સનરાઇઝર્સના 139/7 ના જવાબમાં ચેન્નાઇએ 92 રન પર 7 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ દબાણની સ્થિતિમાં ફોફ ડુ પ્લેસિસ દ્વારા રમવામાં આવેલી અર્ધશતકીય ઇનિંન્ગસની મદદથી ચેન્નાઇના 5 બોલ બાકી રહેતા 2 વિકેટથી જીત દાખલ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અફઘાની ખેલાડી રશિદ ખાનના ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર સનરાઇઝર્સના કેકેઆર પર જીત દાખલ કરી હતી.
હવે સનરાઇઝર્સની પાસે ચેન્નાઇ સાથે આ સત્રમાં મળેલી ત્રણ હારનો બદલો લેવાની તક મળશે. આ સ્પર્ધા ચેન્નાઇની બેટિંગ અને સનરાઇઝર્સની હોલિંગની વચ્ચે થશે. કેકેઆરની વિરુદ્ધ શાનદાર પ્રદર્શનથી ઉત્સાહિત હૈદરાબાદી બોલર ફાઇનલમાં હિસાબ ચૂકવવા ઇચ્છશે.
એવું નથી કે આ બંને ટીમોની આપસી સ્પર્ધામાં ચેન્નાઇ માત્ર આ વર્ષે ભારે સાબિત થયું. એમની વચ્ચે થયેલી અત્યાર સુધીની કુલ 9 મેચોમાંથી ચેન્નાઇએ 7 મેચો જીતી જ્યાપે સનરાઇઝર્સ 2 મેચ જ જીતી શક્યું.