પાકિસ્તાન ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે ભવિષ્યવાણી કરી છે કે આજે શ્રીલંકા સામેની મેચમાં ભારતની હાર થશે અને ભારત ફાઈનલમાંથી પણ બહાર થઇ જશે.
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
સુપર 4નાં પહેલા મુકાબલામાં ભારતે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો
પાકિસ્તાન ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે કરી ભારતના હારવાની ભવિષ્યવાણી
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
એશિયા કપ 2022માં હવે રોમાંચક તબક્કામાં મેચો રમાઈ રહી છે. ભારત અને પાકિસ્તાનની મેચ માટે ફેન્સ સૌથી વધારે ઉત્સુક જોવા મળે છે. આવામાં એશિયા કપમાં પોતાની પહેલી મેચમાં તો ભારતે પાકિસ્તાનને માત આપી હતી, પણ સુપર 4 મુકાબલામાં ભારતે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ છે આવામાં હવે ભારતની સ્થિતિ એશિયા કપના ફાઈનલમાં પહોંચવા માટે કરો યા મરો જેવી જ છે.
ઇન્ઝમામ ઉલ હકની ભવિષ્યવાણી
પાકિસ્તાન ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકે ભવિષ્યવાણી કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે 6 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે રમાનારી મેચમાં હારની સાથે જ એશિયા કપ 2022માંથી બહાર જઇ જશે. આજની 9મી મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડશે અને એશિયા કપમાંથી બહાર થઇ જશે. સુપર 4ની પહેલી મેચમાં ભારતને પાકિસ્તાન સામે 5 વિકેટથી હાર મળી હતી, આ કારણે હવે ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. ઇન્ઝમામનુ કહેવુ છે કે, ભારતીય ટીમ દબાણમાં આવી ગઇ છે અને શ્રીલંકા કે અફઘાનિસ્તાન સામે એક હાર તેને એશિયા કપમાંથી બહાર કરી દેશે. આ વાત ઇન્ઝમામ ઉલ હકે પાકિસ્તાની શૉ જશ્ન એ ક્રિકેટ શૉમાં કહી હતી.
સુપર 4નાં પહેલા મુકાબલામાં ભારતે પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો
ઇન્ઝમામ ઉલ હકે કહ્યું કે, પાકિસ્તાન સામે હાર બાદ ભારતીય ટીમના કેપ્ટન સહિત તમામ ખેલાડીઓ તણાવમાં આવી ગયા છે, અને તેની અસર શ્રીલંકા સામેની મેચમાં જોવા મળશે.
ઇન્ઝમામ અને સાથી પૂર્વ ક્રિકેટર સિકન્દર બખ્તે શૉમાં કહ્યું કે, હાલમાં ભારતીય ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટમાં બેકફૂટ પર છે, અને પાકિસ્તાની ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે.
જાડેજા થયા ઈજાગ્રસ્ત
આ સાથે જ જણાવી દઈએ કે ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે એશિયા કપથી બહાર થઈ ગયા છે. ઘૂંટણની ઈજાને કારણે જાડેજાના બહાર થવાથી ભારતની ટીમ પર પાકિસ્તાન સામેની છેલ્લી મેચ પર ખરાબ અસર જોવા મળી હતી.