એલઆઈસી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે અદાણી ગ્રુપમાં તેમનું રોકાણ યથાવત રહેશે અને તેમાં થોડો પણ ઘટાડો કરવામાં આવશે નહીં.
અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર
અદાણીમાં રોકાણ અંગે એલઆઈસીના ચેરમેને આપ્યું આવું નિવેદન
અદાણી ગ્રુપમાં તેમનું રોકાણ યથાવત રહેશે
ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગના રિપોર્ટથી આવેલ હડકંપ વચ્ચે LIC એ અદાણી ગ્રુપમાં તેના રોકાણને લઈને ચાલી રહેલા સમાચારો પર મોટો પ્રતિસાદ આપ્યો છે. જણાવી દઈએ કે એલઆઈસી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે અદાણી ગ્રુપમાં તેમનું રોકાણ યથાવત રહેશે અને તેમાં થોડો પણ ઘટાડો કરવામાં આવશે નહીં. મહત્વનું છે કે દેશની સૌથી મોટી વીમા કંપનીના ચેરમેન એમ.આર. કુમાર એ જ આ વાત કહી છે.
એલઆઈસીના ચેરમેને આપ્યું આવું નિવેદન
અદાણી ગ્રૂપમાં રોકાણ ન ઘટાડવાના પોતાના નિવેદનમાં એલઆઈસીના ચેરમેને કહ્યું કે 'અમે સમયાંતરે અદાણી ગ્રુપ મેનેજમેન્ટને ફક્ત તેની બિઝનેસ પ્રોફાઇલ જાણવા માટે ફોન કરીશું. આ સાથે અમાહિતી લઈશું કે જૂથમાં કઈ યોજનાઓ પર કામ થઈ રહ્યું છે અને તેનું સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે. '
અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર
હિંડનબર્ગ રિપોર્ટ બાદ મુશ્કેલીમાં ફસાયેલા અદાણી ગ્રુપ માટે આ એક મોટા રાહતના સમાચાર હોય શકે છે. આ પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે અદાણી ગ્રુપમાં રોકાણને લઈને ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે વીમા કંપનીના અધિકારીઓ અદાણી ગ્રૂપના ટોચ મેનેજમેન્ટ સાથે બેઠક કરશે અને વિવિધ વ્યવસાયો સંબંધિત કટોકટી વિશે માહિતી મેળવશે સાથે જ પરિસ્થિતિનો સામનો કરવા માટે તે શું કરી રહ્યો છે તે જાણવાનો પણ પ્રયાસ કરશે.
ત્રીજા ક્વાટરમાં અઢળક નફો કમાયો હતો
જણાવી દઈએ કે LIC નો ચોખ્ખો નફો (LIC Net Profit) ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તીવ્ર વધારા સાથે 8,334.2 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. આ સાથે જ એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો રૂ. 235 કરોડ હતો એવામાં જો આપણે અગાઉ સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડાઓ પર નજર કરીએ તો વીમા કંપનીએ રૂ. 15,952 કરોડનો નફો નોંધાવ્યો હતો. આ સાથે જ શેરબજારમાં ફાઇલ કરવામાં આવેલ માહિતી અનુસાર ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં LICની ચોખ્ખી પ્રીમિયમ આવક રૂ. 1,11,787.6 કરોડ હતી, જે એક વર્ષ અગાઉ 2021-22ના સમાન ક્વાર્ટરમાં રૂ. 97,620.34 કરોડ હતી.
હિંડનબર્ગ રિપોર્ટને કારણે અદાણી ગ્રૂપને મોટું નુકસાન
નોંધનીય છે કે હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર મોટા દાવા કરવામાં આવ્યા હતા. જેમાં 88 પ્રશ્નો દ્વારા અનેક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.જણાવી દઈએ કે 24 જાન્યુઆરી, 2023 ના રોજ આ અહેવાલ પ્રકાશિત થયા બાદથીઅદાણી જૂથને $ 117 બિલિયનથી વધુનું નુકસાન થયું છે.