સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે અનુસૂચિત જાતિ(એસી) અને અનુસૂચિત જનજાતિ(એસટી) સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધ ઘરની અંદર ચાર દિવાલમાં કોઈ સાક્ષીની ગેરહાજરીમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી ગુનો નથી. આ સાથે એક વ્યક્તિની વિરુદ્ધના એસસી-એસટી કાયદા (SC/ST Act)હેઠળના ગુનાને રદ્દ કરી નાંખ્યો છે. શખ્સે ઘરની અંદર એક મહિલાને લઈને કથિત રીતે અપમાનજનક કમેન્ટ કરી હતી.
આ કોઈ વ્યક્તિનું અપમાન કે ધમકી SC/ST Act હેઠળ ગુનો નથી
ગુનો કોઈએ જોયો કે સાંભળ્યો છે ત્યારે તેને સાર્વજનિક માની શકાય છે
એટલા માટે આ અરજીન રદ્દ કરવામાં આવે છે
કોર્ટે કહ્યું કે આ કોઈ વ્યક્તિનું અપમાન કે ધમકી SC/ST Act હેઠળ ગુનો નથી. જ્યાં સુધી આ પ્રકારનું અપમાન અથવા ધમકી પીડિતના અનુસુચિત જાતિ અથવા જનજાતિ સંબંધિત હોવાનું કારણ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે SC/ST Act હેઠળ ગુનો ત્યારે બને છે જ્યારે સમાજના નબળા વર્ગના સભ્યોને કોઈ સ્થાન પર લોકોની સામે અભદ્રતા, અપમાન અને ઉત્પીડનનો સામનો કરવો પડે.
જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું કે તથ્યોને ધ્યાનમાં રાખી અમે જોયું તે અનુસૂચિત જનજાતિ (અત્યાર નિવારણ) કાયદો, 1989 ની કલમ ધારા 3 (1)(આર)હેઠળ અપીલ કર્તાની વિરુદ્ધ આરોપો નથી બનતા. એટલા માટે આ અરજીન રદ્દ કરવામાં આવે છે.
બેન્ચે પોતાના 2008ના એક નિર્ણયને ટાંકતા કહ્યું કે જેમાં સમાજમાં અપમાન અને કોઈ બંધ જગ્યામાં કરવામાં આવેલી ટિપ્પણીની વચ્ચે ફર્ક ગણાવ્યો હતો. કોર્ટે કહ્યું કે ત્યારથી નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો ગુનો બિલ્ડિંગની બહાર જેમ કે ઘરની લોનમાં , બાલ્કનીમાં કે પછી બાઉન્ડ્રી બહાર કરવામાં આવ્યો છે અને કોઈએ જોયો કે સાંભળ્યો છે ત્યારે તેને સાર્વજનિક માની શકાય છે. બેન્ચે કહ્યું કે હિતેશ વર્માની વિરુદ્ધ અન્ય ગુનાઓ સંબંધમાં પ્રાથમિક કાયદા અનુસાર કોર્ટ દ્વારા અલગથી સુનવણી કરવામાં આવશે.