ન્યુઝ એજન્સી રોઈટર્સ દાવો કર્યો છે કે ભારતની INSACOG મેડિકલ સંસ્થાના વૈજ્ઞાનિકો PM ઓફિસના અધિકારીઓને કોરોનાના નવા વેરિઅંટ અને બીજી લહેર વિષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ચેતવી દીધા હતા.
વૈજ્ઞાનિકોએ પોતાનું નામ ખાનગી રાખવાની શરતે જણાવ્યું હતું કે સરકારે આ ચેતવણીને ધ્યાન ઉપર લીધા વગર કોઈ પ્રકારના પગલા ભરવાની દરકાર કરી નહોતી. આ સંસ્થાને ડિસેમ્બર 2020માં કોરોનાના નવા વેરિઅંટ શોધવા અને રિસર્ચ કરવા માટે બનાવી હતી. કોરોનાનો ઇન્ડિયન વેરિઅંટ આ સંસ્થાએ જ શોધ્યો હતો.
INSACOGએ હેલ્થ મિનિસ્ટ્રીને 10 માર્ચ પહેલા જણાવ્યું હતું કે નવો વેરિઅંટ બેકાબૂ સંક્રમણ ફેલાવી શકે છે. INSACOGએ હેલ્થ મિનિસ્ટ્રીને કહ્યું હતું કે આ નવા ખતરનાક વેરિઅંટમાં E484Q અને L452R એમ બે ફેરફારો થયા છે.
આ ફેરફારોને કારણે વાયરસનું કોષમાં ઘુસવું સહેલું બની ગયું છે અને રોગ પ્રતિકારક શક્તિ દ્વારા વાયરસનો ખાત્મો કરવો અઘરું બની ગયું છે. આ ખૂબ ચિંતાજનક છે.
આરોગ્ય વિભાગે આ રિસર્ચ છેક 24 માર્ચે જાહેર કર્યું હતું અને તેમાં "ખૂબ ચિંતાજનક" જેવા શબ્દો કાઢી નખાયા હતા. આ વેરિઅંટ સામે નવી કોઈ નીતિ ન અપનાવીને સરકારે ટેસ્ટિંગ અને ક્વોરનટાઈનની જ પોલિસી રાખી હતી. આ દરમિયાન થયેલી પશ્ચિમ બંગાળની રાજકીય રેલીઓ, કુંભ મેળો જેવા ઘણા પ્રસંગોમાં મોટા પાયે ભીડ જમા થતા સંક્રમણ ફેલાવાનો દર વધ્યો હતો.