જાહેરમાં લોકોને છીંકવા અને કોરોના વાયરસને ફૈલાવવા માટે લોકોને ઉશ્કેરનાર આરોપી ઈન્ફોસિસના સોફ્ટવેર એન્જિનિયર કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો હતો. કર્ણાટક પોલીસે તેની ધરપકડ કરી છે. પુછપરછમાં તેણે પોતાનું નામ મુજીબ મોહમ્મદ જણાવ્યું હતું. તેને પોતાના ફેસબુક પર પોસ્ટ કરી લોકોને કોરોના ફેલાવવા કહ્યું હતું. ઈન્ફોસિસે તેને નોકરીમાંથી કાઢી મુક્યો છે. જાણો તેણે શું લખ્યું હતુ.
ઈન્ફોસિસે કંપનીની બેંગ્લુરુની એક બિલ્ડિંગને ખાલી કરાવી
એક સોશિયલ મીડિયા પર કોરોના ફેલાવવાની પોસ્ટ કરનારને કંપનીએ કાઢી મુક્યો
પોતાના ફેસબુક પર પોસ્ટ કરી લોકોને કોરોના ફેલાવવા કહ્યું હતું
મોહમ્મદે તેના ફેસબુક પોસ્ટમાં લખ્યુ હતું કે, ‘આવો સાથે આવો, બહાર નિકળો, ખુલ્લામાં છીંકો અને વાયરસ ફેલાવો. ’ બેંગ્લુરુના સંયુક્ત પોલીસ આયુક્તના સદીપ પાટિલે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે જે વ્યક્તિએ લોકો ખુલ્લામાં છીંકવા અને વાયરસ ફેલાવવાની વાત કરી હતી. તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેનું નામ મુજીબ છે અને તે એક સોફ્ટવેર કંપની ઈંફોસિસમાં કામ કરે છે. આઈટી કંપની ઈન્ફોસિસને શુક્રવારે કહ્યું કે તે કોરોના વાયરસ સાથે જોડાયેલી અયોગ્ય પોસ્ચ સોશિયલ મીડિયા પર કરી છે. એટલું જ નહીં કંપનીએ તેને કાઢી મુક્યો છે.
કોરોના વાયરસના ડરથી ઈન્ફોસિસે કંપનીની બેંગ્લુરુની એક બિલ્ડિંગને ખાલી કરાવી
સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવેલા કેસમાં ઈન્ફોસિસે પ્રતિક્રિયા આપી છે. ઈન્ફોસિસે પોતાના સત્તાવાર હૈડલ પરથી ટ્વીટ કરી કહ્યું કે કર્મચારી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટ આચાર નિયમાવલીની વિરુદ્ધ હતી. તેણે એમ પણ કહ્યું કે,‘ઈન્ફોસિસે પોતાના એક કર્મચારી દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ પર પોતાની સમગ્ર તપાસ પુરી કરી દીધી છે. અને અમે એવુ માનીએ છીએ કે આ ખોટી ઓળખનો કેસ નથી.
એક સભ્યને કોરોના વાયરસની આશંકા સેવાઈ રહી
ઉલ્લેખનીય છે કે આઈટી પ્રમુખ ગુરુરાજ દેશપાંડેએ ઈ-મેઈલ કરી જણાવ્યું હતું કે તૈયારીને સુનિશ્ચિત કરવા માટે અમે ફક્ત એઆઈપીએમ ભવનને સાવચેતીના ભાગ રુપે ખાલી કરી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ આ બિલ્ડીંગમાં એક સભ્યને કોરોના વાયરસની આશંકા સેવાઈ રહી છે.