સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શેર બજારની સુસ્ત શરૂઆત થઇ. શરૂઆતી વેપારમાં ઇન્ફોસિસના શેર 10 ટકાથી વધારે ટૂટી ગયો.
ઇન્ફોસિસના CEO અને CFO પર લાગ્યા છે અનૈતિક વ્યવહારના આરોપ
આરોપ પર ઇન્ફોસિસનો જવાબ તપાસ ઑડિટરથી કરાવવામાં આવશે
ઈન્ફોસિસના શેરમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. આજે ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ એક જ ઝાટકે ઇન્ફોસિસના રોકાણકારોને રૂ.૫૨,૬૨૨ કરોડનો ફટકો પડ્યો હતો. આજે બજાર ખૂલતાંની સાથે જ ઇન્ફોસિસના શેરમાં જબરદસ્ત ઘટાડો થયો હતો અને ૬૦ ટકા તૂટીને ઈન્ફોસિસનો શેર રૂ. ૬૪૫ના ભાવ પર ગગડી ગયો હતો. ગઇ કાલે ઈન્ફોસિસનો શેર ૭૬૭ પર બંધ રહ્યો હતો.
આજે ઈન્ફોસિસનો શેર સેન્સેક્સ અને નિફ્ટી પર સૌથી વધુ તૂટનારો શેર સાબિત થયો હતો. તેના પગલે કંપનીની માર્કેટ કેપમાં પણ જબરદસ્ત ઘટાડો થયો છે. વાસ્તવમાં એક દિવસ અગાઉ ઇન્ફોસિસના મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો થયા છે, જેના કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે. એવું કહેવાય છે કે ઇન્ફોસિસમાં સત્યમને પણ વટાવી જાય એવા મોટા ગોટાળા થયા છે.
શુક્રવારે ઈન્ફોસિસનો શેર ૭૬૭.૭૫ પર બંધ થયો હતો, જે આજે ઘટીને ૬૯૧ના ભાવે ખૂલ્યો હતો અને થોડી જ વારમાં ૧૬ ટકા જેટલો તૂટીને ઈન્ફોસિસનો શેર રૂ.૬૪૫ની સપાટી પર પહોંચી ગયો હતો. ઈન્ફોસિસનો શેર ૧૬ ટકા જેટલો ગગડવાના કારણે તેની માર્કેટ કેપ શુક્રવારે રૂ.૩૩૦૦૭૩ કરોડ હતી, જે ઘટીને આજે રૂ.૨૭૭૪૫૦ કરોડ થઇ ગઇ છે.
આમ, એક જ ઝટકામાં રોકાણકારોને રૂ.૫૨,૬૨૨ કરોડનું નુકસાન થયું છે. ઈન્ફોસિસ પર એવો આરોપ છે કે કંપનીએ નફો અને આવક વધારવા કેટલાક ગેરકાયદે અનૈતિક પગલાં ભર્યાં હતાં. આ સમગ્ર મામલાને લઇને એક ગ્રૂપે ઈન્ફોસિસના બોર્ડને પત્ર લખીને જાણકારી આપી છે.