મોંઘવારીનો મારો સહન કરી રહેલી જનતા પર આવતા મહિનાથી એટલે કે એપ્રિલથી શરુ થઈ રહેલા નાણા વર્ષ 2021-22થી ભારણ હજું વધશે.
આવતા મહિનાથી તમને ઈશ્યોરન્સ મોંઘુ પડી શકે
જીવન વીમો કરાવવાનો ખર્ચ 10થી 15 ટકા વધી શકે છે
વીમા કંપનીઓ પણ ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ મોંઘું કરવાની તૈયારી કરી રહી છે
આવતા મહિનાથી તમને ઈશ્યોરન્સ મોંઘુ પડી શકે છે
મોટાભાગની એલઈડી ઉત્પાદક કંપનીઓ પહેલા જ ભાવ વધારી ચૂકી છે. હવે વીમા કંપનીઓ પણ ટર્મ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ મોંઘું કરવાની તૈયારી કરી રહી છે. વર્ષ 2020માં લોકો માટે સ્વાસ્થ્ય અને જીવન વીમાનું મહત્વ વધી ગયુ છે. કોરોના કાળમાં લોકો ઈન્શ્યોરન્સ તરફ આકર્ષિત થયા છે. જોકે આવતા મહિનાથી તમને ઈશ્યોરન્સ મોંઘુ પડી શકે છે.
કેટલું મોંઘું થઈ શકે છે ટર્મ ઈન્શ્યોરન્સ?
મીડિયા રિપોર્ટ મુજબ જીવન વીમો કરાવવાનો ખર્ચ 10થી 15 ટકા વધી શકે છે. હકિકતમાં કોરોના વાયરસની મહામારીના કારણે ઈન્શ્યોરન્સ કંપનીન નુકશાન થયું છે. આ દરમિયાન કંપનીઓ વીમાનું ભારત અને ખર્ચ ઘણો વધ્યો છે. જેના કારણે લાઈફ કવર લેવુ મોંઘુ થશે. ઉલ્લેખનીય છે કે આ વધારાની અસર નવા પોલિસી ગ્રાહકોને થશે. જૂના ગ્રાહકોને પહેલા નક્કી પ્રમાણે બધું ચાલશે.
કેમ મોંઘુ થઈ રહ્યું છે ટર્મ ઈન્શ્યોરન્સ?
ટાટા એઆઈએ, એગોન લાઈફ, મેક્સ લાઈફ, પીએનબી મેટલાઈફ, મેક્સ લાઈફ ઈન્શ્યોરન્સ અને ઈન્ડિયાફર્સ્ટ લાઈફે આવતા વર્ષથી વધેલી કિંમતોની સાથે નવા ટર્મ ઈન્શ્યોરન્સ ઉત્પાદન લોન્ચ કરવાની પરવાનગી આપવા માટે વીમા નિયામક ઈરડાની પાસે અરજી કરી છે. વીમા કંપનીઓનું કહેવું છે કે તેમને પોતાના પ્રીમિયમ વધારવા પડશે. કેમ કે કોરોના દરમિયાન ઈન્શ્યોરન્સ મોંઘુ થઈ રહ્યું છે. જો કે કોવિડ 19ના આવતા પહેલા રી ઈન્શ્યોરન્સના દરે ભારતીય જીવન વીમા કંપનીઓ માટે વધારો રહ્યો હતો. કેમ કે વેશ્વિક અંડરરાઈટર્સે દેશમાં રી ઈન્શ્યોરેન્સના બહું ઓછા દર પર ચિંતા વ્યક્ત કરી હતી. રી ઈન્શ્યોરન્સના દરોમાં વધારો એવા સમયે થયો છે. જ્યારે જીવન વીમા કંપનીઓની પાસે મહામારીના કારણે અંદાજા કરતા વધારે મોતના દાવા આવી રહ્યા છે.
શું છે ટર્મ ઈન્શ્યોરન્સ?
ટર્મ ઈન્શ્યોરન્સ સસ્તો ઈન્શ્યોરન્સ પ્લાન હોય છે જે તમાપા પરિવારજનોને કોઈ પણ આકસ્મિક ઘટનાની સ્થિતિમાં પૂરી સુરક્ષા અને નાણાકિય સ્થિરતા આપે છે. પોલીસીના સમયમાં વીમાધારકનું મૃત્યુ થવા પર તેના નોમિનીને સારી એવી રકમ મળે છે. ટર્મ ઈન્શ્યોરન્સ પોતાના પરિવારને લાંબા સમય સુધી સુરક્ષા આપવામાં ઘણો સસ્તો ઉપાય છે.