નોર્થ સાઉન્ડ: ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે ચાલી રહેવી પાંચ વન-ડે મેચોની સિરીઝની ચોથી વનડે નોર્થ સાઉન્ડ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ટોસ જીતી પહેલા બોલિંગ કરવા ઉતરેલ વેસ્ટઇન્ડીઝની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યા અને ટીમ ઇન્ડિયાને જીત માટે 190 રનનો લક્ષ્યાંક આપ્યો.
ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર થયા છે. યુવરાજ સિંહ અનફિટ છે તેની જગ્યાએ દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કર્યા છે. ત્યારે અશ્વિનની જગ્યાએ જાડેજા અને ભુવનેશ્વર કુમારની જગ્યાએ મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કર્યા છે. આ સિવાય વેસ્ટઇન્ડીઝની ટીમમાં એક ફેરફાર થયો છે. મિગુએલ કમિંસની જગ્યાએ અલઝારી જોસફનો વિંડીઝ ટીમમાં સમાવેશ કરાયો છે.