કોરોના વાયરસ જ્યારથી આવ્યો ત્યારથી લોકોના જીવન બદલાઇ ગયા છે. એક બાદ એક રિસર્ચ થવા લાગ્યા છે અને નવા નવા ખુલાસા સામે આવે છે. હાલમાં એક સ્ટડી પ્રમાણે આ 5 જીનવાળા વ્યક્તિઓને ગંભીર ખતરો માલૂમ પડ્યો છે.
કોરોનાકાળમાં તમે રહ્યાં છો સુરક્ષિત ?
તમારા ડીએનએ પ્રમાણે ખતરો
કોરોનાના આવી શકે ગંભીર પરિણામ
બ્રિટનની એક યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર TYK2, CCR2, OAS1, IFNAR2, DPP9 આ પાંચ જીનવાળા વ્યક્તિઓને કોરોનાથી સૌથી વધારે ખતરો છે. રિસર્ચમાં 2700 દર્દીઓના ડીએનએના ડેટાની સ્ટડી કર્યા બાદ આ પરિણામ પર પહોંચ્યા છે.
એક રિપોર્ટ અનુસાર 2700 દર્દીઓમાંથી 22 ટકા લોકોની મોત થઇ ગઇ અને 74 ટકા લોકોને જાતે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, TYK2 અને DPP9માં જીનસૂત્રો 19 પર હોય છે જ્યારે બીજામાં 21 અને CCR2 માં 4 પર હોય છે.
સ્ટડીના રિઝલ્ટમાં એ સમજવામાં મદદ મળી કે કેમ કેટલાક લોકો કોરોનામાં ગંભીર રીતે બીમિર પડી જાય છે. જ્યારે કેટલાક લોકો સાવ પ્રભાવિત નથી થતા. વધુ પ્રભાવિત થવાવાળા લોકોના રિપોર્ટ પરથી વૈજ્ઞાનિકોને દવા બનાવવામાં મદદ મળશે.