કોરોના વિશે માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે દેશના 10 જિલ્લામાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ છે તેમાં 8 મહારાષ્ટ્રના છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી
10 જિલ્લામાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ
મહારાષ્ટ્રના 8 જિલ્લામાં સૌથી વધારે કેસ
કેન્દ્રીય આરોગ્ય સચિવ ભૂષણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં હાલમાં કુલ 3,37,928 કેસ સક્રિય છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં એક દિવસમાં સરેરાશ 3,000 નવા કેસો નોંધાતા હતા જ્યારે આજના દિવસમાં 34,000 કેસો નોંધાઈ રહ્યાં છે.
807 UK variants, 47 South African variants and 1 Brazilian variant have been found in India: Union Health Secretary Rajesh Bhushan#COVID19pic.twitter.com/vGzVkztgCH
આ 10 જિલ્લામાં સૌથી વધારે એક્ટિવ કેસ
પુણે, મુંબઈ, નાગપુર, ઠાણે, નાસિક, ઔરંગાબાદ, બેંગ્લુરુ, નાંદેડ, દિલ્હી અને અહમદનગર. નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે જણાવ્યું કે કેટલાક જિલ્લામાં અતિ ગંભિર સ્થિતિ છે પરંતુ આખા દેશમાં જોખમ રહેલું છે. કોરોના ગતિને રોકવા તથા લોકોની જિંદગી બચાવવા તમામ જરુરી ઉપાયો કરવાની જરુર છે. ભૂષણે જણાવ્યું કે દેશમાં અઠવાડિક પોઝિટીવીટી રેટ સરેરાશ 5.65 ટકા છે જ્યારે મહારાષ્ટ્રમાં 23 ટકા, પંજાબમાં 8.82 ટકા, છત્તીસગઢમાં 8 ટકા, મધ્યપ્રદેશમાં 7.82 ટકા, તમિલનાડુમાં 2.04 ટકા, કર્ણાટકમાં 2.45 ટકા, ગુજરાતમાં 2.2 ટકા અને દિલ્હીમાં 2.04 ટકા છે.
महाराष्ट्र में 3,37,928 सक्रिय मामले हैं। फरवरी के दूसरे सप्ताह में औसतन एक दिन में 3,000 नए मामले आते थे। आज एक दिन में 34,000 मामले आ रहे हैं। महाराष्ट्र में फरवरी के दूसरे सप्ताह में एक दिन में 32 मृत्यु होती थी, यह बढ़कर 118 हो गई है: केंद्रीय स्वास्थ्य सचिव राजेश भूषण pic.twitter.com/hcsT9Wg9ex
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના 8 રાજ્યો કોરોના સંક્રમણનું એપી સેન્ટર છે અને ચિંતાનું કારણ છે. આ રાજ્યોમાં કોરોનાના કુલ 85 ટકા કેસ નોંધાયા છે.આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 56,211 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં હવે કોરોનાનો આંકડો 12,095,855 પર પહોંચી ગયો છે.હાલમાં, દેશમાં સક્રિય કેસની સંખ્યા 5,40,720 પર પહોંચી ગઈ છે. સોમવારે, દેશભરમાં સક્રિય કેસની સંખ્યામાં 18,912 નો વધારો થયો છે. સોમવારે કોરોનાને કારણે 271 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે, દેશભરમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 1,62,114 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 11,393,021 લોકો કોરોનાને માર મારતા હોસ્પિટલમાંથી બહાર આવ્યા છે. આ પહેલા રવિવારે કોરોનાના 68 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.