ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા વિવાદમાં દર વખત ચીન માથું મારે છે. આ વખતે પણ ભારતે કરેલા જૈશ એ મહોમ્મદ સામેના પ્રસ્તાવને ફગાવ્યો હતો. ચીને વીટો વાપરીને પાકિસ્તાનની તરફેણ કરી હતી.
આ વાતને લઈને ભારતે પણ ચીનને તેની ભાષામાં જવાબ આપ્યો છે. તેમણે વન બેલ્ટની બેઠકમાં જવાની મનાઈ ફરમાવી છે. આ મામલે ભારતના વિદેશ સચિવ ચીનના પ્રવાસે જવાના છે. ચીન ભારત મામલે મહત્વની ચર્ચાઓ કરવાના છે.
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલે બે દિવસ ચીનના પ્રવાસે છે. આ પ્રવાસમાં તેઓ ચીન અને ભારત વચ્ચે ચાલતા વિવાદોને લઈને ચર્ચા કરી શકે છે. ભારતના અને ચીનના વિદેશ સચિવ વચ્ચે બેઠક થવાની છે. ખાસ કરીને તેઓ જૈશ એ મહોમ્મદ પરના પ્રતિબંધ મામલે ખાસ ચર્ચા કરાઈ શકે છે. ચીન સામે પાકિસ્તાનમાં ચાલતી આતંકી પ્રવૃતિઓને લઈને આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતા ચીન ટસનું બસ થતું નથી. તેને લઈને ભારત અને ચીન વચ્ચે હાલ સંબંધો બગડેલા છે. ગત વર્ષે વિદેશ સચિવનો પદભાર સંભાળનાર વિજય ગોખલે પહેલા ચીનમાં ભારતના રાજદૂત હતા. જેના કારણે તેમના ચીનના અધિકારીઓ સાથે મિત્રતા ભર્યા સંબંધ છે.
ભારત અને ચીનના સચિવની આ મુલાકાત ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. બંને દેશના સચિવો એક બીજા દેશની સમસ્યા અને વિચારો રજૂ કરશે. ભારતનો તો માત્ર એક જ મુદો છે આતંકવાદની નાબૂદી, ત્યારે ચીન પોતાના પ્રોજેક્ટ વન બેલ્ટ રોડ પર ચર્ચા કરવાના છે. આ યોજનાનો ભારત દ્વારા પહેલા દિવસથી વિરોધ ચાલી રહ્યો છે. ચીને આ પ્રોજેક્ટ માટે અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. જેને લઈને તે ભારતને મનાવવામાં લાગ્યું છે. ભારત પણ પાકિસ્તાન સામે આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે મથામણ કરશે. ચીન સાથે ચર્ચા કરશે કે તેઓ પોતાનો સ્પેશિયલ પાવર પરત લે અને મસૂદ સામે પગલાં લેવામાં ભારતની મદદ કરે. આમ આ મુલાકાત ખુબ મહત્વની માનવમાં આવી રહી છે.