તમે સાંભળ્યું જ હશે કે શિયાળાની સીઝનમાં દબાઈને ખાઓ અને પીઓ તો શરીરમાં ગરમી બની રહે છે. આ વાત સાચી છે. પણ શું તમે જાણો છો કે તમારી રસોઈમાં કેટલાક ગરમ મસાલા રહેલા છે જેનાથી તમે શરદીને તરત જ ભગાડી શકો છો. તો જાણો કયા મસાલાનો કઈ રીતે ઉપયોગ કરીને તમે શિયાળામાં હેલ્ધી રહી શકો છો.
શિયાળામાં રસોઈમાં કરો આ મસાલાનો ઉપયોગ
શિયાળાની શરદીમાંથી મળી જશે રાહત
ઘરની રસોઈના ખાસ મસાલાનો કરો ઉપયોગ
મરી
કાળા મરીનો તમે સામાન્ય રીતે સૂપ અને ચ્હામાં ઉપયોગ કરો છો. આ સિવાય શાક અને સલાડમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. વિન્ટરમાં કાળા મરી ખાવાથી શરીરમાં ગરમાવો બની રહે છે. એક તરફ જ્યાં તેના સેવનથી ખાંસી, શરદી અને ઉધરસ ઘટે છે ત્યાં શરીરનું તાપમાન પણ વધે છે.
આદુ
તમે સાંભળ્યું હશે કે શિયાળાની સીઝનમાં ડોક્ટર્સ પણ આદુ ખાવાની સલાહ આપે છે. શિયાળામાં આપણે અનેક પ્રકારે તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ, તમે તેને શાકમાં, સૂપમાં કે ઉકાળામાં મિક્સ કરીને લઈ શકો છો.
તજ
તજ ફક્ત ભારતીય ભોજનમાં જ ઉપયોગમાં લેવાય છે એવું નથી કે અન્ય મહત્વ પણ ધરાવે છે. તેને ચામાં મુક્સ કરીને પણ લઈ શકાય છે. આ સિવાય ઉકાળામાં પણ તેને મિક્સ કરી શકો છો. તેના ઉપયોગથી શરીર ગરમ રહે છે અને સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે.
એલચી
સામાન્ય રીતે તેને ખીર કે ચાની સાથે મિક્સ કરીને લેવામાં આવે છે. તે શરીરને ગરમ રાખવાની સાથે સાથે હાર્ટ માટે પણ ઉપયોગી અને ફાયદારૂપ છે. નાની એલચીની સાથે મોટી એલચી પણ શરીરને ગરમ રાખી શકે છે.
જીરુ
જીરાનો વઘાર કરવાથી દાળનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. શિયાળાની સીઝનમાં તમે જીરાનો વધાર કરીને દાળને રેગ્યુલર લઈ શકો છો. આ શિયાળામાં તમે શરીરને ગરમ રાખી શકો છો. આ સાથે શિયાળામાં શરદીથી પણ રાહત મળે છે.