ભારતીય રેલ્વે ગણેશ ચતુર્થીના અવસરે મુસાફરોની ભીડને ઘટાડવા માટે વધારાની ગણપતિ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલ્વે અને મધ્ય રેલ્વેની સાથે સમન્વયમાં અમદાવાદ, વડોદરા અને રત્નાગિરી, કુડાલ, સાવંતવાડી રોડ સ્ટેશનની વચ્ચે વધારાની ગણપતિ સ્પેશ્યલ ટ્રેન ચાલશે. ગણપતિ સ્પેશ્યલ ટ્રેનના બુકિંગ 17 ઓગસ્ટથી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર અને IRCTC ની વેબસાઈટથી કરી શકાશે.
ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય
ગણપતિ સ્પેશ્યલ ટ્રેનની કરશે શરૂઆત
આ રીતે કરાવી શકાશે બુકિંગ
ક્યારથી શરૂ થશે ગણપતિ સ્પેશ્યલ ટ્રેન
ભારતીય રેલ્વેએ એક પ્રેસ રિલિઝમાં કહ્યું કે ટ્રેન નંબર 09416 અમદાવાદ જંક્શન- કુડલ સાપ્તાહિક સ્પેશ્યલ ભાડાની સાથે 18 ઓગસ્ટ અને 25 ઓગસ્ટે અમદાવાદ જંક્શનથી 9.30 વાગે રવાના થશે. આ ટ્રેન બીજા દિવસે 4.30 મિનિટે કુંડલ પહોંચશે.
અન્ય ટ્રેનમાં ટ્રેન નંબર 09415 કુંડલ - અમદાવાદ જંક્શન સાપ્તાહિક સ્પેશ્યલ ભાડા સાથે 19 ઓગસ્ટ અને 26 ઓગસ્ટે કુડલથી 5.30 વાગે રવાના થશે. આ ટ્રેન અન્ય દિવસે 00.15 વાગે અમદાવાદ જંક્શન પહોંચશે.
આ સ્ટેશનો પર રોકાશે ટ્રેનો
આખી યાત્રા સમયે આ સ્પેશ્યલ ટ્રેન વડોદરા, સૂરત, વાપી, વસઈ રોડ, પનવેલ, રોહા, માનગાંવ, વીર, ખેડ, ચિપલૂન, સરર્દા, અરાવલી રોજ, સંગામેશ્વર રોડ, રત્નાગીરી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કનકાવલી અને સિંધુદુર્ગ સ્ટેશનો પર રોકાશે. જલ્દી જ સાપ્તાહિક સ્પેશ્યલ ભાડા ટ્રેન અમદાવાજૉદ- સામંતવાદી રોડ અને વડોદરા - રત્નાગીરીની વચ્ચે પણ ચલાવાશે.
આ દિવસથી શરૂ થશે બુકિંગ
આ સ્પેશ્યલ ટ્રેન માટે 17 ઓગસ્ટથી બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર અને IRCTCની વેબસાઈટથી કરાશે. ભારતીય રેલ્વેએ દરેક યાત્રીઓને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગૃહમંત્રાલયની સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારની ટ્રાવેલ ગાઈડલાઈન્સનું પાલન કરવા કહ્યું છે.