રમીની આ સિઝનમાં મુસાફરોની ભીડ મેનેજ કરવા માટે ભારતીય રેલ એક પછી એક સ્પેશિયલ ટ્રેન ચલાવાની ઘોષણા કરી રહી છે.
ઉનાળામાં ફરવાના જવાનો પ્લાન હોય તો ચેક કરી લેશો
ભારતીય રેલ્વે દ્વારા સમર સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ
રાજસ્થાન અને મહારાષ્ટ્ર જવા માટે કામમાં આવશે
દર વખતની માફક આ વખતે પણ ગરમી શરૂ થતાં ટ્રેનોમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના દરમિયાન આ સંખ્યા ખૂબ ઓછી હતી, જો કે, હવે મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ ટ્રેનોમાં ફરી ભીડ ઉમટવા લાગી છે. ગરમીની આ સિઝનમાં મુસાફરોની ભીડ મેનેજ કરવા માટે ભારતીય રેલ એક પછી એક સ્પેશિયલ ટ્રેન ચલાવાની ઘોષણા કરી રહી છે. આ જ ક્રમમાં ભારતીય રેલ્વેએ ઉત્તર પશ્ચિમ રેલ્વે ઝોને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર અજમેરથી બાંદ્વા અને જયપુરથી બાંદ્રા માટે સમર ટ્રેન ચલાવામાં આવશે. આ ઉપરાંત જયપુરથી હૈદરાબાદની વચ્ચે પણ એક ટ્રેન શરૂ થઈ ચુકી છે.
ટ્રેન નંબર 09039 બાંદ્રા ટર્મિનસ અજમેર સમર સ્પેશિયલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 20 એપ્રિલથી 15 જૂન સુધી બાંદ્રા ટર્મિનસથી દર બુધવારે રાતના 11.55 કલાકે રવાના થઈને આગામી દિવસે સાંજે 5.00 કલાકે અજમેર પહોંચશે. વાપસીમાં ટ્રેન નંબર 09040, અજમેર બાંદ્રા ટર્મિનસ ગ્રીષ્મકાલીન સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિલ ટ્રેન 21 એપ્રિલથી 16 જૂન સુધી અજમેરથી દર ગુરૂવારે રાતના 11.415 કલાકે રવાના થઈને બીજા દિવસે બપારે 3.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
અજમેર બાંદ્રાની વચ્ચે ચલાવામાં આવતી આ ટ્રેન પોતાની યાત્રા દરમિયાન બોરિવલી, વાપી,સૂરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબૂરોડ, ફાલના, મારવાડ જંક્શન અને બ્યાવર રેલ્વે સ્ટેશન પર બંને દિશાઓમાં રોકાશે.