ભારતભરમાં ઑક્સીજન પહોંચાડવાનું કામ કરતી ઑક્સીજન એક્સપ્રેસ આજે પ્રાણવાયુ લઈને બાંગ્લાદેશ માટે રવાના થઈ છે.
ફરીવાર ભારતીય રેલવે કોરોના સામે લોકોની મદદે
ભારતભરમાં કોરોના દર્દીઓને મદદ કરનાર ભારતીય રેલવે હવે પડોશી દેશોની મદદે
200 મેટ્રિક ટન ઑક્સીજન લઈને બાંગ્લાદેશ રવાના થઈ ઑક્સીજન એક્સપ્રેસ
પડોશી દેશની વ્હારે આવ્યું ભારત
ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસનાં કારણે અનેક લોકો મોતનો સામનો કરી રહ્યા છે ત્યારે વાયરસનાં કારણે અનેક દર્દીઓનાં શ્વાસ રૂંધાયા છે. બીજી લહેર દરમિયાન ભારતમાં પણ ઑક્સીજનને લઈને ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઑક્સીજન એક્સપ્રેસ દ્વારા ખૂબ મદદ મળી હતી ત્યારે હવે આ જ ઑક્સીજન એક્સપ્રેસ ભારતનાં પડોશી દેશો માટે પણ મદદરૂપ સાબિત થઈ રહી છે.
રેલમંત્રીએ ટ્વિટ કરીને આપી જાણકારી
રેલમંત્રીએ કહ્યું કે આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમને ધ્યાનમરાયા રાખતા પીએમ નરેન્દ્ર મોદીની લીડરશીપ હેઠળ ભારતીય રેલવે કોરોના વાયરસ મહામારી સામે માનવતાને મદદ માટે કામ કરી રહી છે. આજે સવારે પહેલી ઑક્સીજન એક્સપ્રેસ 200 મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઑક્સીજન લઈને ઑક્સીજન એક્સપ્રેસ બાંગ્લાદેશ માટે રવાના થઈ છે.
Living upto our cultural ethos of "वसुधैव कुटुम्बकम्", Indian Railways under PM @NarendraModi ji's leadership is working diligently to help humanity's fight against COVID.
The first-ever, #OxygenExpress left for Bangladesh with 200 MT of Liquid Medical Oxygen, this morning. pic.twitter.com/49c6HZON7o
પ્રાણવાયુ લઈને લોકોને બચાવવા માટે ભારતની ટ્રેન રવાના
ભારતભરમાં ઑક્સીજન પહોંચાડવાનું કામ કરતી ઑક્સીજન એક્સપ્રેસ આજે પ્રાણવાયુ લઈને બાંગ્લાદેશ માટે રવાના થઈ છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો ટ્વીટ કરીને તે અંગે જાણકારી આપી છે.