ભારતીય રેલવે સતત પોતાની સર્વિસમાં ફેરફારની સાથે નવા-નવા અપડેટ કરી રહી છે. આ દરમ્યાન રેલવેએ મુસાફરો માટે એક સારી સેવાને શરૂ કરી છે. જ્યારે તમે ટ્રેનમાં સ્ટેશન છૂટવાની ચિંતા કર્યા વગર આરામથી ઊંઘી શકો છો.
હવે ટ્રેનમાં મુસાફર ચિંતા વગર ઊંઘી શકશે
રેલવેએ મુસાફરો માટે એક સારી સેવાને શરૂ કરી
તમારું સ્ટેશન આવ્યાંના 20 મિનિટ પહેલા આપશે એલર્ટ
ઊંઘતી વખતે નહીં છૂટે સ્ટેશન
તમારું સ્ટેશન આવ્યાની 20 મિનિટ પહેલા રેલવે તમને જગ્યા આપશે. જેનાથી તમારું સ્ટેશન પણ નહીં છૂટે અને તમે સરળતાથી આરામ પણ કરી શકશો. તમને રેલવેની આ ખાસ સુવિધા અંગે જણાવીએ છીએ. મહત્વનું છે કે રેલવેની આ ખાસ સર્વિસનુ નામ છે ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ. ઘણી વખત ટ્રેનમાં લોકોને ઊંઘ આવે છે અને તેના ચક્કરમાં તેમનુ સ્ટેશન જતુ રહે છે. આ પરેશાનીને દૂર કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે આવુ રાત્રિના સમયે જ થાય છે. રેલવેએ આ સુવિધાને 139 નંબરની પૂછપરછ સેવા પર શરૂ કરી છે. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરો 139 નંબરના ઈન્કવાયરી સિસ્ટમ પર એલર્ટની સુવિધા માંગી શકે છે.
સ્ટેશન આવ્યાંના 20 મિનિટ પહેલા આવી જશે એલર્ટ
આ સેવાનો ફાયદો ટ્રેનમાં કોઈ પણ મુસાફર ઉઠાવી શકે છે. આ સુવિધા મુસાફરોને રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી મળશે. રેલવે તરફથી તેના માટે માત્ર 3 રૂપિયા નક્કી કરવામાં આવ્યાં છે. જો તમે આ સર્વિસને લો છો તો તમારા સ્ટેશનના 20 મિનિટ પહેલા તમારા ફોન પર એલર્ટ મોકલવામાં આવશે. કારણકે તમે પોતાના સામાન વગેરેને યોગ્ય રીતે મુકી શકો અને સ્ટેશન આવતા ટ્રેનમાંથી ઉતરી જાઓ.
આ રીતે શરૂ કરી શકો સર્વિસ
ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સેવાને શરૂ કરવા માટે મુસાફરોને IRCTCની હેલ્પલાઈન 139 પર કૉલ કરવો પડશે.
કૉલ રિસીવ થવાથી પોતાની ભાષાની પસંદગી કરવી પડશે.
ડેસ્ટિનેશન એલર્ટ માટે પહેલા 7 નંબર અને પછી 2 નંબર દબાવવો પડશે.