અમરિકા તથા ઇરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર હવાઇ યાત્રાઓ પર પણ પડી રહી છે. આ તણાવની અસર ભારત સુધી પહોંચી છે. તમામ ભારતીય એરલાયન્સે DGCA (Directorate General of Civil Aviation) સાથે ચર્ચા કર્યા બાદ ઇરાનના એરસ્પેસમાં ન જવાનો નિર્ણય લીધો છે.
વૈકલ્પિક રૂટની કરાશે પસંદગી
તેમનું કહેવું છે કે, ભારતીય પેસેન્જરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે થઇને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપરેટર્સનું કહેવું છે કે, આ માટે તેઓ વૈકલ્પિક રૂટ પર વિચાર કરશે. આપને જણાવી દઇએ કે, આ પહેલા કેટલીય એરલાયન્સોએ ઇરાની એયરસ્પેસમાં ન જવા અંગેનો નિર્ણય કર્યો છે.
All Indian operators in consultation with Directorate General of Civil Aviation (DGCA) have decided to avoid the affected part of Iranian Airspace to ensure safe travel for the passengers. They will re-route flights suitably. pic.twitter.com/XwxeTRbfgC
ભારતીય એરલાયન્સે આ પ્રકારનો નિર્ણય કરતા પહેલા UAE ઇતિહાદ એરવેઝના સ્થાનિક વહીવટી તંત્ર સાથે ચર્ચા કર્યા બાદ ઇરાની એયરસ્પેસનો વિકલ્પ શોધવા અંગેનો નિર્ણય કર્યો છે.
તેલ ટેન્કરોની સુરક્ષા વધારવાનો કરાયો નિર્ણય
અમેરિકા તથા ઇરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે હોર્મોઝ જલડમરુમધ્યથી થઇને પસાર થતાં પોતાના તેલ ટેન્કરોની સુરક્ષા વધારવાનો નિર્ણય કરેલ છે. ઓમાનની ખાડીમાં 2 યુદ્ધ જહાજો ખડકાયા બાદ ભારતીય નૌસેના હવે આ વિસ્તારમાંથી આવનારા તેલ ટેન્કર પર કેટલાક અધિકારીઓ તથા નાવિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, ઇરાન દ્વારા અમેરિકન ડ્રોન તોડી પડાયા બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે માહોલ ગરમાયેલો છે.
એક અધિકારીએ શુક્રવારના રોજ કહ્યું હતું કે, દરેક ભારતીય ટેન્કર પર એક અધિકારી તથા 2 નાવિકને તૈનાત કરવામાં આવશે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, નિમણૂંક કરવામાં આવેલ આ લોકો સમુદ્રમાં માઇન્સ તથા અન્ય વિસ્ફોટકોની માહિતી પ્રાપ્ત કરવાની તથા એક સલાહકાર તરીકેની જવાબદારી નિભાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે ધમકી
અમેરિકી રાષ્ટ્રપ્રમુખે તાજેતરમાં ટ્વિટર પર લખ્યું કે, 'ઇરાને ખુબ જ મોટી ભૂલ કરી નાંખી છે.' અમેરિકી રક્ષા મંત્રાલયના મુખ્યમથખ પેન્ટાગોને આ વાતની પુષ્ટી કરી છે કે ઇરાની સૈન્ય દળે અમેરિકી નેવીનું એક જાસુસી ડ્રોન તોડી પાડ્યું છે. સાથે એમ પણ કહ્યું કે એ આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં હતું, ન ઇરાનના હવાઇ ક્ષેત્રમાં.