આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની હાર્દિક પંડયા કરશે. હાર્દિક પંડયા કેપ્ટન તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. હાર્દિક ગુજરાતનાં વડોદરાનો ખેલાડી છે
ટીવી પર આ મેચનું સોની સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ થશે અને સોની લિવ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે
વર્ષ 2018માં ભારતીય ટીમ આયરલેન્ડમાં 2 T20 મેચ રમ્યા હતા અને બંને મેચો જીત્યા પણ હતા
વર્લ્ડ ક્રિકેટમાં ભારત રવિવારે એક અલગ જ પ્રદશન કરવાનું છે. ભારતની એક ટીમ ઈંગ્લેન્ડના ટુર દરમિયાન લિસ્ટરશર સામે પ્રેક્ટિસ મેચ માટે આજે ચોથા દિવસે ક્રિકેટ રમશે. ત્યાં જ ભારતની બીજી ટીમ આયરલેન્ડ સામે બે T20 મેચની સિરિજનો પહેલો મેચ રમશે. આ મેચ આયરલેન્ડના મેલાહાઇડ શહેરમાં રમાશે. આ ભારતીય ટાઈમિંગ અનુસાર રાત્રે 9 વાગ્યે શરૂ થશે અને 8:30 એ ટોસ ઉછાળાશે. ટીવી પર આ મેચનું સોની સ્પોર્ટ્સ પર લાઈવ ટેલિકાસ્ટ થશે અને સોની લિવ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે.
ટીમ ઈન્ડિયા અત્યારે દુનિયાની સૌથી ડિમાન્ડવાળી ટીમ છે. હાલ આયરલેન્ડના નવા ક્રિકેટરો ભારતીય ક્રિકેટરો સામે મેચ રમીને ઘણું શીખી શકશે. આ પહેલા વર્ષ 2018માં ભારતીય ટીમ આયરલેન્ડ ગઈ હતી. 2018માં તેમણે ત્યાં 2 T20 મેચ રમ્યા હતા અને બંને મેચો જીત્યા પણ હતા. એ પછી બંને દેશ વચ્ચે કોઈ પણ મેચ રમવામાં આવ્યો નહતો.
23 વર્ષ બાદ ગુજરાતના કોઈ ખેલાડીને ભારતીય ટીમની કમાન મળી છે. આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની હાર્દિક પંડયા કરશે. હાર્દિક પંડયા કેપ્ટન તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. હાર્દિક ગુજરાતનાં વડોદરાનો ખેલાડી છે જેણે તાજેતરમાં જ IPL માં પોતાની ટીમ Gujarat Titans ને વિજયી બનાવી હતી. છેલ્લી વખત ગુજરાતના કોઈ ખેલાડીએ 1998-1999માં ભારતની કેપ્ટનશિપ કરી હતી. 1999માં અજય જાડેજાને ભારતીય ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ODI ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરનાર તે ગુજરાતનો એકમાત્ર ખેલાડી છે. સૌથી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ વતી વીરેન્દ્ર સેહવાગે કપ્તાની કરી હતી. ત્યાર પછી મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના, અજંકયા રહાણે, વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને રિષભ પંત ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરી ચૂક્યા છે.
બીજી ટીમની વાર કરી તો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 1 જુલાઈથી શરૂ થશે. આ ગયા વર્ષે રમાયેલી ટેસ્ટ શ્રેણીનો જ એક ભાગ છે. ગયા વર્ષે ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડ પહોંચી હતી, પરંતુ ચાર મેચ બાદ ભારતના કેટલાક ખેલાડીઓ અને કોચ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાએ ચાર ટેસ્ટ બાદ પાંચમી ટેસ્ટ રમવાનો ઈન્કાર કરી દીધો હતો. ટીમ ઈન્ડિયાનાં આ ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ આ શ્રેણીની જ ટેસ્ટ રમવા જઈ રહી છે. ભારતીય ટીમ હાલમાં પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ આ ટેસ્ટ ખૂબ જ મહત્વની છે.