ભારતીય ટીમ અને શ્રીલંકાની વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરીઝની બીજી મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. ભારતીય ટીમને જીત માટે 216 રનનો લક્ષ્યાંક મળ્યો છે. શ્રેણીની પહેલી મેચ 67 રનથી જીતીને ભારતીય ટીમ 1-0થી આગળ છે.
ભારત-શ્રીલંકા વચ્ચે કોલકત્તામાં બીજી મેચ
શ્રીલંકાએ ભારતીય ટીમને 216 રનનો લક્ષ્યાંક આપ્યો
સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ
ભારતીય ટીમ તરફથી સારા પ્રદર્શનની આશા
શ્રીલંકાએ ભારતને જીતવા માટે 216 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી બોલિંગમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે બોલિંગથી પ્રદર્શન બતાવ્યું. બંનેની સામે શ્રીલંકાના બેટરની એક ના ચાલી. હવે ભારતીય બેટરો પાસેથી સારા પ્રદર્શનની આશા છે. ભારતીય ટીમ કપરા મોડ પર છે. હવે શ્રેયસ ઐયર પણ આઉટ થયો છે. શ્રેયસને કાસુન રાજિતાએ એલબીડબલ્યુ આઉટ કર્યો. જો કે, શ્રેયસે રિવ્યુ જરૂર કર્યો. પરંતુ તે એમ્પાયર્સ કોલ નિકળ્યો.
વિરાટ કોહલી આઉટ
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી માત્ર 4 રન બનાવીને આઉટ થયા છે. કોહલીને લાહિરૂ કુમારાએ આઉટ કર્યો. ભારતનો સ્કોર ત્રણ વિકેટે 62 રન છે. શ્રેયસ ઐયર 13 રન પર રમી રહ્યો છે.
ભારતને 216 રનનો ટાર્ગેટ
શ્રીલંકાની ટીમ 215 રને સમેટાઈ ગઇ છે. શ્રીલંકાની ટીમ 39.4 ઓવર પર રમી. શ્રીલંકા તરફથી નુવાનિડુ ફર્નાન્ડોએ સૌથી વધુ 50 અને કુસલ મેન્ડિસે 34 રનની ઈનિંગ રમી. આ ઉપરાંત દુનિથ વેલ્લાલેગેએ 32 અને હસારંગાએ 21 રનનુ યોગદાન આપ્યું. કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે ભારત તરફથી ત્રણ-ત્રણ વિકેટ લીધી. તો ઉમરાન મલિકને બે અને અક્ષરે એક વિકેટ લીધી.
Innings Break!
Fine bowling effort from our bowlers as Sri Lanka are all out for 215 in 39.4 overs.