ભારતીય ટીમમાં વધી રહેલી સ્પર્ધાને પગલે એક સ્ટાર ખેલાડીની કારકિર્દી સમાપ્ત થવાના આરે છે. ખરેખર, લાંબા સમયથી વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયા એક ખેલાડીને વન-ડે મેચમાં રમવાની તક આપતા નથી. જેના કારણે આ ખેલાડીની કારકિર્દી સમાપ્ત થવાના આરે છે. આ ખેલાડીનું નામ ઉમેશ યાદવ છે.
ખત્મ થવાના આરે ભારતીય ટીમના આ ખેલાડીની કારકિર્દી
ભારતીય ટીમના ઉમેશ યાદવને ટેસ્ટ ટીમમાં તક ના અપાઈ
ઉમેશ યાદવ ધીરે-ધીરે વન-ડે અને ટી-20 ટીમમાંથી આઉટ
આ ખેલાડીની કારકિર્દી લટકતી સ્થિતિમાં
ભારતીય ટીમે મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, ઈશાન્ત શર્મા, શાર્દુલ ઠાકુર જેવા બોલિંગ યુનિટને તૈયાર કર્યુ છે. જેના કારણે હવે ઉમેશ યાદવને તક મળતી નથી. ઉમેશ યાદવ પ્રથમ વન-ડે અને ટી-20 ટીમમાંથી બહાર નિકળી ગયા હતા અને હવે તેને ટેસ્ટ ટીમમાં પણ તક આપવામાં આવતી નથી.
કોહલી તક આપતા નથી
ઉમેશ યાદવ ધીરે-ધીરે વન-ડે અને ટી-20 ટીમમાંથી આઉટ થઈ ગયા છે. હવે ઉમેશ યાદવને ભારતીય ટેસ્ટ ટીમમાં રમવાની પણ તક મળતી નથી. 48 ટેસ્ટ રમી ચુકેલા 33 વર્ષીય ઉમેશ યાદવ માટે આ ઈંગ્લેન્ડનો પ્રવાસ અંતિમ સાબિત થઈ શકે છે. 33 વર્ષીય અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ભારત તરફથી અંતિમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન રમી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે એડિલેડ ટેસ્ટમાં તેમણે ત્રણ અને મેલબર્ન ટેસ્ટમાં એક વિકેટ લીધી હતી. ત્યારબાદ તેઓ ઈજાગ્રસ્ત થયા બાદ તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી બહાર થવુ પડ્યુ હતું. ઈંગ્લેન્ડ સામેની ડોમેસ્ટિક ટેસ્ટ શ્રેણીમાં ઉમેશ ઘાયલ થયા હોવાથી ટીમમાં સ્થાન નહોતા બનાવી શક્યા. જ્યારે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં તેમને વન-ડેમાં રમવાનો અવસર મળ્યો હતો.
ટેસ્ટ કારકિર્દી પતન તરફ
હવે ઈંગ્લેન્ડ શ્રેણીમાં પણ આવુ કશું જોવા મળી રહ્યું નથી. ઈંગ્લેન્ડ સામેની 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઉમેશ યાદવની ટીમમાં તો પસંદગી કરવામાં આવી. પરંતુ બે મેચોમાં અત્યાર સુધી તેમને કોઈ તક આપવામાં આવી નથી. એવામાં હવે તેમની ટેસ્ટ કારકિર્દી પતન તરફ દેખાઈ રહી છે.