શ્રીલંકાની વિરુદ્ધ ટી-20 અને ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વનડે સીરિઝ માટે સોમવારે પંસદગીકર્તાએ ભારતીય ટીમનું એલાન કરી દીધું છે, ટીમ ઇન્ડિયામાં સૌથી મોટા મેચ વિનર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઇ છે.
શ્રીલંકાની વિરુદ્ધ ટી-20, ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ વનડે સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન
ટીમ ઇન્ડિયામાં સૌથી મોટા મેચ વિનર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસી થઇ
5 મહીના બાદ જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયા માટે રમશે
જસપ્રીત બુમરાહ શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી-20 સીરિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરિઝમાં ટીમ ઇન્ડિયાનો હિસ્સો હશે. 5 મહીના બાદ બુમરાહ ટીમ ઇન્ડિયા માટે રમશે. બુમરાહને કમરમાં સ્ટ્રેસ ફ્રેક્ચર હતું જેના કારણે તે ક્રિકેટથી દૂર રહ્યો.
નોંધનીય છે કે, ભારત 5 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી-20 સીરિઝ રમશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મેચોની વનડે સીરિઝ રમવા માટે ભારત આવશે.
ભારત 14 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચોની વનડે સીરિઝ રમશે. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને શ્રીલંકા વિરુદ્ધ ટી-20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે.
રોહિત શર્માની જગ્યાએ સંજૂ સેમસનને શ્રીલંકાની વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાની વિરુદ્ વનડે સીરિઝમાં રમશે. આ ઉપરાંત શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં શિખર ધવનની વાપસી થઇ છે. જે વેસ્ટઇન્ડિઝની વિરુદ્ધ ગત સીરિઝમાં ઇજાને કારણે રમી શક્યો નહોતો.