ભારતમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં 1 લાખ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, હવે કોરોનાનો મૃત્યુદર ઓછો થયો છે. પહેલા કોરોનાનો મૃત્યુદર 2.9 હતો જે હવે ઘટીને 2.6 ટકા થયો છે.
છેલ્લા 5 દિવસમાં 1 લાખ કરતા વધારે કેસ સામે આવ્યા
કોરોનાનો મૃત્યુદર ઓછો થયો છે
કોરોનાનો મૃત્યુદર 2.9 હતો જે હવે ઘટીને 2.6 ટકા થયો છે
અત્યાર સુધીમાં 4 લાખ લોકો સાજા થઈને પરત ફર્યા છે
5 દિવસમાં કોરોનાના કેસ 1 લાખ કરતા વધી જતા દેશભરમાં હાલ ચિંતા જોવા મળી રહી છે. 26 જૂન સુધી વધુ એક લાખ કેસ સામે આવ્યા હતા અને વૃદ્ધી દર 3.6 ટકા થયો હતો. પરંતુ રાહતના સમાચાર એ છે કે, હવે કોરોનાનો મૃત્યુદર ઓછો થયો છે. પહેલા કોરોનાનો મૃત્યુદર 2.9 હતો જે હવે ઘટીને 2.6 ટકા થયો છે.
બે દિવસના સમયમાં નવા 19 હજાર કેસ સામે આવ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં 20 હજાર કેસ દેશમાં નોંધાયા હતા. જો કે કોરોનાના કારણે મૃત્યુ થનારા લોકોની સંખ્યા આજે 434 હતી.
ભારત કોરોનાથી કુલ 17 837 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં સકારાત્મક સમાચાર એ છે કે અત્યાર સુધીમાં 4 લાખ લોકો સાજા થઈને પરત ફર્યા છે. મહારાષ્ટ્રમાં પણ હવે કોરોનાના કેસ ઘટતા હોય તેમ લાગી રહ્યું છે.