લદ્દાખ હિંસા બાદ ભારત તેની વિરુદ્ધ અનેક પગલા ભરી ચૂક્યું
15 જૂન બાદ બધું જ બદલાઈ જશે
ચીની કંપનીઓ પર લાગેલા છે આ આરોપ
લદ્દાખ હિંસા બાદ ભારત તેની વિરુદ્ધ અનેક પગલા ભરી ચૂક્યું
સુરક્ષાના કારણે સરકાર ચીનની કંપની હુવાવેને બેન કરવાનું મન બનાવી ચૂકી છે અને જૂન સુધી આનું એલાન પણ કરવામાં આવી શકે છે. 2 વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે હુવાવે દ્વારા બનાવવામાં આવેલા દૂરસંચાર ઉપકરણોના ઉપયોગથી ભારતીય મોબાઈલ કંપનીને રોકવામાં આવશે. જો એવું થાય છે તો ચીનને આર્થિક મોર્ચા પર ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. કેમ કે લદ્દાખ હિંસા બાદ ભારત તેની વિરુદ્ધ અનેક પગલા ભરી ચૂક્યું છે.
15 જૂન બાદ બધું જ બદલાઈ જશે
અધિકારીઓએ જણાવ્યું કે સરકાર સુરક્ષા આશંકા અને ભારતીય નિર્માતાઓના અધિક દૂર સંચાર ઉપકરણ બનાવવાની ઈચ્છાને ધ્યાનમાં રાખી ચીની કંપનીઓને બેન કરવાના મૂડમાં છે. દૂર સંચાર વિભાગે 2 અધિકારીઓના નામ નહીં છાપવાની શરતે કહ્યું કે 15 જૂન બાદ મોબાઈલ કેરિયર કંપની ફક્ત સરકાર દ્વારા અનુમોદિત કંપનીઓથી જ કેટલાક નક્કી ઉપકરણો ખરીદી શકશે. એટલું જ નહીં સરકાર તે કંપનીઓનું લિસ્ટ પણ જારી કરી શકે છે જેને ઉપકરણ નથી ખરીદવાના. હુવાવેને પણ આ જ લિસ્ટમાં નાંખવાની શક્યતા છે.
ચીની કંપનીઓ પર લાગેલા છે આ આરોપ
અધિકારીઓના જણાવ્યાનુસાર સરકારનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઉભુ કરનાર રોકાણ પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને આને ધ્યાનમાં રાખીને ચીની કંપનીઓની વિરુદ્ધ કડક પગલા ભરવાની તૈયારી ચાલી રહી છે. ત્યારે એક અન્ય અધિકારીએ ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યુંકે ચીનની કંપની ZTE કોપને પણ બેન કરી શકાય છે. જો કે ભારતમાં ઉપસ્થિતિ ઓછી છે. બન્ને કંપનીઓ પર ચીની સરકાર માટે જાસૂસી કરવાના આરોપ લગાવી ચુકી છે.
Airtel અને Vodafone કરે છે ઉપયોગ
ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા હુવાવે ગિયરનો ઉપયોગ કરે છે. ત્યારે વિશ્લેષકોનું કહેવું છે કે હુવાવે ગિયર પર પ્રતિબંધથી ખર્ચ વધવાની આશંકા બની રહેશે. તેમણે કહ્યું કે ચીની ફર્મના ઉપકરણ અને નેટવર્કના મેન્ટેન્સ અનુબંધ સામાન્ય રીતે એરિક્શન અને નોકિયા જેવા યુરોપીય સ્પર્ધકોની સરખામણીએ સસ્તી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું અમે ચીનથી પણ રોકાણોના પ્રસ્તાવો પર કેટલીક મંજૂરી આપવાની શરુઆત કરી દીધી છે. પરંતુ અમે ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફાઈનેન્શિયલ જેવા વિસ્તારોમાં કોઈ મંજૂરી નહી આપે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર 100થી વધારે ચીની મોબાઈલ એપ પર ગત વર્ષના પ્રતિબંધને હટાવવા માટે ચીની કંપનીઓને એર ઈન્ડિયા અને ભારત પેટ્રોલિયમ જેવા રાજ્યો- સંચાલિત ફર્મોમાં કામ કરવાની પરવાનગી આપવાના મૂડમાં બિલકુલ નથી.