2015 થી બનાવવામાં આવી રહેલ રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરને જાપાની શૈલીથી સજાવવામાં આવી રહ્યું છે. જાપાની ફૂલોની સુગંધ રુદ્રાક્ષમાં ફેલાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા છોડ પણ રોપવામાં આવશે. આ કાર્યક્રમમાં રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરમાં ઇન્ડો-જાપાન કળા અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે. આ સાથે પ્રધાનમંત્રી 500 જેટલા લોકો સાથે સંવાદ પણ કરશે.
શું છે રુદ્રાક્ષ?
વિશ્વના સૌથી પ્રાચીન અને જીવંત શહેર કાશીને ભારત-જાપાન દોસ્તીની મિસાલ સમી ભેટ મળી છે, અને એ છે રુદ્રાક્ષ. તેને મ્યુઝિક કોન્સર્ટ, નાટક, પ્રદર્શનો તેમજ કોન્ફરન્સ વગેરે થઈ શકે એવી સુવિધાઓ અને ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યું છે. શિવલીંગની આકૃતિ ધરાવતા રુદ્રાક્ષમાં સ્ટીલના 108 રુદ્રાક્ષના દાણા પણ લગાડવામાં આવેલા છે.
કેવું છે ભવ્ય રુદ્રાક્ષનું બાંધકામ?
વરન્સીમાં સિગરામાં ત્રણ એકર જમીનમાં 186 કરોડની કિંમતમાં બનેલ ભવ્ય રુદ્રાક્ષ સેન્ટરમાં 120 કાર પાર્ક થઈ શકે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 1200 લોકો એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગઓ માટે 6-6 વ્હીલચેર અને અત્યાધુનિક ગ્રીન રુમ પણ બનાવવામાં આવેલ છે. 150 લોકોની ક્ષમતા વાળ બે કોન્ફરન્સ રૂમ અને ગેલરી પણ બનાવવામાં આવી છે જેમાં આધુનિક ઉપકરણો સામેલ છે.
મિત્ર રાષ્ટ્ર જાપાનનો સહયોગ
રુદ્રાક્ષને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે. ડિઝાઇનિંગ પણ જાપાની સંસ્થા ઓરિએન્ટલ કન્સલ્ટન્ટ ગ્લોબલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમ નાનકડું જાપાનીઝ ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે. 110 કિલોવોટની ઉર્જા માટે સોલર પ્લાન્ટ તથા સુરક્ષાના તમામ સાધનોથી સજ્જ બનાવવામાં આવ્યું છે. 10 જુલાઇ 2018 ના દિવસે નિર્માણ પામેલ કન્વેન્શન સેન્ટર આજે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ઉદ્ઘાટન માટે યોગ્ય બની ચૂક્યું છે. ભારત જાપાન દોસ્તીના પ્રતિક એવા સેન્ટરનું પ્રધાનમંત્રી મોદી સ્વયં આવતીકાલે ઉદ્ઘાટન કરશે.