DGCA એ શુક્રવારે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રહેશે.
મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી લંબાવ્યો
જો કે અમુક દેશો સાથે એર બબલ સિસ્ટમ હેઠળ ફ્લાઇટ્સ ચાલુ રહી શકે છે
કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA એ શુક્રવારે એક પત્રમાં આ માહિતી આપી હતી. આ અગાઉ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધની અવધિ વધારીને 28 ફેબ્રુઆરી 2021 કરવામાં આવી હતી.
DGCA એ લીધો મહત્વનો નિર્ણય
DGCA ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોકે પસંદગીના માર્ગો પર સક્ષમ અધિકારી દ્વારા કેસ-ટુ-કેસ આધારે આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી શકે છે. જો કે, DGCAએ કહ્યું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ-કાર્ગો ઓપરેશન્સ અને વિશિષ્ટ પરવાનગી સાથેની ફ્લાઇટ્સ પર લાગુ નહીં થાય.
મહત્વનું છે કે કોરોના વાયરસ રોગચાળાને કારણે, નિયમિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર એરલાઇન 23 માર્ચથી સસ્પેન્ડ કરવામાં આવી છે. જો કે, વંદે ભારત અભિયાન અને એર બબલ સિસ્ટમ હેઠળ, ખાસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને મે મહિનાથી અમુક દેશોમાં સંચાલન કરવાની મંજૂરી છે. ભારતે અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિતના 27 દેશો સાથે એર બબલ કરાર કર્યો છે.
ઘરેલુ ફ્લાઇટ્સમાં મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે
નોંધપાત્ર વાત એ છે કે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન સતત વધી રહ્યું છે. કોરોના પહેલાંના સ્તરની તુલનામાં ભારતીય કેરિયર્સ માટેની સ્થાનિક ફ્લાઇટ્સ મુસાફરોની કુલ કેપેસિટીના ૭૦ ટકાની મંજૂરી હતી અને તેને વધારીને 80 ટકા કરવામાં આવી છે. એરલાઇન્સ પૂર્વ-કોરોના સ્તરથી ઉપરની 70 ટકા સ્થાનિક પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરી શકે છે. ગત વર્ષે 25 મેના રોજ 30 હજાર મુસાફરો સાથે ઘરેલું કામગીરી શરૂ થઈ હતી અને 30 નવેમ્બર 2020 ના રોજ 2.52 લાખ મુસાફરોનું વહન થયું હતું.