સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી દિશા-નિર્દેશ જારી કરવાની માંગ
વકીલ અલખ આલોક શ્રીવાસ્તવે અરજીમાં કહ્યું કે કોરોનાને પગલે લૉકડાઉન થવાથી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના પરિવારની સાથે સેંકડો કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. તેમા વૃદ્ધ, બાળકો, મહિલાઓ અને દિવ્યાંગ પણ સામેલ છે. તેમની પાસે રહેવાની સુવિધા અને ટ્રાન્સપોર્ટની સુવિધા નથી. એવામાં સુપ્રીમ કોર્ટ દેશભરમાં તંત્રને આદેશ આપે કે આ લોકોને શેલ્ટર હોમમાં રાખીને સુવિધાઓ આપવામાં આવે.
કોરોના વાયરસ મહામારીનું સંકટ ભારતમાં વધી રહ્યું છે. સોમવારે સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસ પીડિતોની સંખ્યા 1100ની પાર પહોંચી ગઇ છે. જ્યારે 27 લોકોના મોત થઇ ચૂક્યા છે.
લૉકડાઉનની વચ્ચે મોટી સંખ્યામાં છૂટક મજૂરી કામ કરનાર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ સેંકડો કિલીમીટર ચાલતા જ પોતાના ઘરે જઇ રહ્યા છે. ડૉક્ટર ચેતવણી આપી રહ્યા છે કે લૉકડાઉનમાં લોકો એકસાથે આમ કરવાથી કોરોના વાયરસ મહામારીના સામુદાયિક સંક્રમણનો ખતરો છે.