દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, પરંતુ મંગળવારે નવા કોરોનાના કેસમાં 17.36 ટકાનો ઘટાડો નોંધાયો છે.
દેશમાં 56,211 નવા કેસ સામે આવ્યા
ભારતભરમાં 271 કોરોનાના દર્દીઓના મોત થયા
કુલ 6,11,13,354 લોકોને કોરોનાની રસી અપાઇ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં કુલ કોરોનાના દર્દીઓનો આંકડો 1,20,95,855 પર પહોંચી ગયો છે, કારણે છેલ્લા 24 કલાક દરમિયાન સંક્રમણના 56,211 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભારતભરમાં 271 કોરોનાના દર્દીઓના મોત પણ થયા છે, જેને લઇને દેશમાં કુલ 1,62,114 દર્દીઓના મોત થયા છે. મહત્વનું છે કે, કોરોનાના 68,020 નવા કેસ નોંધાયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 37,028 લોકો કોરોના સંક્રમણથી મુક્ત થઇ ગયા છે અત્યાર સુધી દેશભરમાં આ મહામારીની ઝપેટમાં આવ્યા બાદ 1,13,93,021 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 5,40,720 છે. ત્યારે શુક્રવાર સવાર સુધીમાં કુલ 6,11,13,354 લોકોને કોરોનાની રસી અપાઇ ચૂકી છે.