રોહિત શર્માને ભારતીય ટીમના નવા કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બીસીસીઆઈએ બુધવારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરતી વખતે આ મોટી જાણકારી આપી છે.
રોહિત હવે ટી-20 અને વન-ડે ફોર્મેટમાં ભારતીય ટીમનું સુકાન સંભાળશે
ભારતીય ટીમના નવા કેપ્ટન રોહિતે કોહલીને લઇ આપ્યું નિવેદન
આંકડા પરથી અંદાજ લગાવી શકાય કે વિરાટ કોહલી હજી પણ ટીમનો લીડર
ટેસ્ટનુ સુકાન વિરાટ કોહલી જ સંભાળશે
રોહિત હવે ટી-20 અને વન-ડે ફોર્મેટમાં ભારતીય ટીમની આગેવાની કરશે. જ્યારે ટેસ્ટનુ સુકાન વિરાટ કોહલી જ સંભાળશે. અત્યાર સુધી ક્રિકેટ જગતના તમામ દિગ્ગજો બીસીસીઆઈના આ નિર્ણયને લઇને પોતાનું મંતવ્ય જાહેર કરી ચૂક્યા છે. હવે ભારતીય ટીમના નવા કેપ્ટન રોહિતે કોહલીને લઇ મોટું નિવેદન આપ્યું છે.
રોહિતે કોહલીને જણાવ્યો ટીમનો લીડર
રોહિત શર્માએ એક શોમાં વાતચીત દરમ્યાન વિરાટ કોહલીના વખાણ કર્યા અને કહ્યું કે કોહલી હજી પણ ટીમનો કેપ્ટન છે. રોહિતે કહ્યું કે વિરાટ કોહલીની એવરેજ અને આંકડા જોઈને અંદાજ લગાવી શકાય છે કે તે ટીમ માટે કેટલો મહત્વનો ખેલાડી છે. નવા કેપ્ટને કહ્યું કે તમે કોઈ પણ સ્થિતિમાં કોહલીને છોડવાનું ઈચ્છશો નહીં. કારણકે તેમની પાસે એક લાંબો અનુભવ છે અને ઘણી વખત ટીમને કપરી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં કોહલીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
વન-ડે ક્રિકેટમાં વિરાટ કોહલીના આંકડા
વિરાટ કોહલીએ અત્યાર સુધી 254 વન-ડે મેચ રમી છે. જેમાંથી 59.07ની સરેરાશથી 12,169 રન બનાવ્યાં છે. મહત્વનું છે કે, કોહલીએ આ દરમ્યાન 43 સદી અને 62 અર્ધસદી લગાવી છે. વન-ડેમાં તેમનો સૌથી વધુ સ્કોર 183 રન છે. કોહલી વન-ડે ક્રિકેટમાં વિશ્વના સૌથી સફળ ખેલાડીઓમાંના એક છે.