છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના કેસ વધ્યા છે. જોકે એક્ટિવ કેસોની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે સાથેજ રિકવરી રેટ પણ વધી રહ્યો છે.
24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો
એક્ટિવ કેસના આંકડામાં ઘટાડો
રિકવરી રેટ હાલમાં 97.53 ટકા
દેશમાં છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં આખા દેશમાં 36,401 જટેલા કેસ નોંધાયા છે. જોકે ધીરે ધીરે હવે એક્ટિવ કેસોનો આંકડો ઓછો થઈ રહ્યો છે. 149 દિવસમા એક્ટિવ કેસનો આંકડો અત્યારે સૌથી ઓછો છે.
રિકવરી રેટ 97.53 ટકા
હાલ ભારતમાં 3,64,129 જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. દિવસેને દિવસે એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. જે એક સારી બાબત કહી શકાય. માર્ચ 2020 પછી આ મહિને કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ સૌથી વધારે હોવાનું સામે આવ્યું છે. રિકવરી રેટ હાલમાં 97.53 ટકાનો છે. જેથી પરિસ્થિતી હવે દિવસેને દિવસે સુધરી રહી છે.
સંક્રમણ 3 ગણું ઘટ્યું
છેલ્લા 24 કલાકમાં 39,157 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 15 લાખ અને 25 હજાર લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. છેલ્લા 55 દિવસથી સંક્રમણનું પ્રમાણ પણ 3 ગણું ઘટી ગયેલું જોવા મળી રહ્યું છે. સાથેજ 24 દિવસોથી સંક્રમણનું પ્રમાણ પણ 3 ગણું ઘટતું જોવા મળી રહ્યું છે.
56.64 કરોડને વેક્સિન અપાઈ
સરકાર દ્વારા વેક્સિનેશન પર ભાર આપવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 56.64 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. જેથી તેના કારણે પરિસ્થિતી હવે સુધરતી દેખાઈ રહી છે. જોકે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ વધ્યા છે. જે ચિંતાનો વિષય કહી શકાય. પરંતુ સારી બાબત એ છે કે તેની સામે રીકવરી પણ વધારે છે.
ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં ઘણા લોકોના મોત થયા હતા. જેથી લોકોમાં હવે ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર દ્રારા સંક્રમણ કાબૂમાં લેવા બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમા માસ્ક અને સોશિયલ ડિસટન્સ જેવી ગાઈડલાઈન પર સરકાર દ્વારા વધારે ભાર આપવામાં આવ્યો છે.