શનિવારે સવારે આવકવેરા વિભાગે લખનઉના જૈનેન્દ્ર યાદવ, મૈનપુરીના મનોજ યાદવ અને સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજીવ રાય, જેઓ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નજીકના હોવાનું મનાય છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યાં હતાં. કહેવાય છે કે, આવકવેરા અધિકારીઓ 12 ગાડીઓનો કાફલો લઈને પહોંચ્યો છે. ઈન્કમ ટેક્ષ વિભાગની ટીમોએ ઘરની તપાસ કરી રહી હતી. દરમિયાન આયકર વિભાગની ટીમો જ્યાં જ્યાં કાર્યવાહી કરી રહી હતી. તે ઘરોને સુરક્ષાબળોએ ઘેરી લીધો હતો. એટલે કે, કોઈને અંદર જવાની અનુમતી ન આપવામાં આવી હતી.
This is IT dept. I've no criminal background or black money. I help people & Govt didn't like it. This is a result of that. If you do anything, they'll make a video, register an FIR, you'll fight a case unnecessarily. There is no use let procedure complete: Rajeev Rai, SP leader pic.twitter.com/Bn4hcs1ozm
દરોડા દરમિયાન સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રાયને નજરકેદ કરવામાં આવ્યાં
દરોડાના ભાગરૂપે ટીમ શનિવારે મઉમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાયના ઘરે પહોંચી હતી. આ દરમિયાન ટીમ બે કલાક થી વધુ સમય સુધી ઘરમાં તપાસ કરી રહી હતી. જે દરમિયાન સપાના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. આ ધમાલને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રાયને નજરકેદ કરવામાં આવ્યાં છે . સવારે લગભગ 7 વાગ્યે આવકવેરા વિભાગની ટીમ કોટવાલી શહેરના સાહદપુરામાં રાજીવ રાયના ઘરે પહોંચી હતી. સપાના કાર્યકરો તે વાતની જાણ થતાં તેઓ રાજીવ રાયના ઘરની બહાર ભેગા થવા માંડ્યાં હતાં. કાર્યકર્તાઓએ ભારે હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ ઘટના સ્થળ પર પોલીસ બોલાવી હતી. ઈન્કમ ટેક્ષની ટીમ વારણસીથી મઉ પહોંચી છે.
આયકર વિભાગે આરસીએલના ગૃપના માલિક મનોજ યાદવના ઘરે પણ દરોડા કર્યા હતાં
બીજી બાજુ લખનઉના આંબેડકર પાર્ક પાસે સ્થિત જૈનેન્દ્ર યાદવના ઘરે દરોડા પડ્યા છે. ઈન્કમ ટેક્સ વિભાગની ટીમે જૈનેન્દ્ર યાદવના ઘરની તપાસ હાથ ધરી છે. બીજી તરફ આયકર વિભાગે અખિલેશ યાદવના નજીકના ગણાતા આરસીએલના ગૃપના માલિક મનોજ યાદવના ઘરે પણ દરોડા કર્યા હતાં. તે દરમિયાન કોઈને પણ ઘરની અંદર જવા દેતી નથી.