બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
Vishnu
Last Updated: 06:48 PM, 22 November 2021
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોરોનાથી મૃત્યુ પામનારને આર્થિક સહાય મુદ્દે ગુજરાત સરકારે નવો ઠરાવ કર્યો છે. રાહત કાર્યમાં સંકળાયેલા હોય અને કોરોનાથી મૃત્યુ થયું હોય તેને પણ લાભ મળશે. સુપ્રીમકોર્ટના તેડા બાદ ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો હતો. મહેસૂલ વિભાગે ઠરાવ સાથે અરજી ફોર્મ પણ જાહેર કર્યું છે. મૃતક દર્દીના વારસદારોને સહાયનો નવો નિર્ણય કરવામાં આવ્યો હતો પણ કામ સાવ ઢીલી નીતિથી ચાલતું હોવાથી સુપ્રીમકોર્ટે મુખ્ય અને આરોગ્ય સચિવને હાજર રહેવા કહ્યું હતું. આજે સુપ્રીમકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર હાજર રહ્યા હતા.
જો પ્રક્રિયા સરળ અને કામમાં ઝડપ નહીં આવે તો લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી આપીશું: sc
કોરોના મૃતકોના પરિવારના વળતર ચૂકવવા મામલે પહેલાથી સુપ્રીમ કોર્ટ કડક વલણ આપનાવી ચૂકી છે. ગુજરાતમાં આ સહાય મુદ્દે થયેલી કામગીરીથી સુપ્રીમ કોર્ટ નારાજ ચાલી રહી છે ત્યારે આજે SCમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોરોના સહાય પ્રક્રિયા સરળ રાખવા આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે ગુજરાત સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે કેમ વળતર અંગે પ્રક્રિયા ધીમી ચાલી રહી છે તેવો વેધક સવાલ સરકારને કર્યો હતો. સાથે જ નારાજગી દર્શાવતા કર્યું હતું કે વ્યવસ્થિત કામ કરો નહી તો લીગલ સર્વિસ ઓથોરિટીને જવાબદારી સોપીશુ. સમગ્ર મામલે વધુ સુનાવણી 29 નવેમ્બરે હાથ ધરાશે.
કોરોના વળતરનું કામકાજ ક્યાં અટક્યું છે?
કોરોનાની મહામારી દરમિયાન રાજયભરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ મૃતકોના ડેથ સર્ટિમાં કોરોનાના કારણે મૃત્યુ થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કોઈ વ્યક્તિને કોરોના થયાના 30 દિવસમાં મૃત્યુના કેસમાં જ સહાય આપવાની જાહેરાત કરાઈ છે. આથી આ મૃતકોના પરિવારજનોને મેડિકલ સર્ટિફિકેટ કોઝ ઓફ ડેથનું પ્રમાણપત્ર આપવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી પણ છે પણ સરકાર દ્વારા કોઈ સ્પષ્ટ પરિપત્ર બહાર પાડી કલેકટરને માહિતી આપવામાં આવી નથી એટલે દરેક જિલ્લાએ ગોકળગતિએ તમામ કામ ચાલી રહ્યું છે.
જો અમદાવાદની વાત કરીએ તો...
અમદાવાદમાં ફોર્મ વિતરણની સહાય શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મૃત્યુનો આંકડો 3 હજાર 357 છે. જ્યારે AMC દ્વારા માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ સિવિક સેન્ટરો પર મુકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં 60 સિવિક સેન્ટર છે. અને AMC એ આ તમામ સિવિક સેન્ટર પર 250 ફોર્મ મૂકયા છે. એટલે કે માત્ર સિવિક સેન્ટરો પર જ 15 હજાર ફોર્મ પ્રથમ દિવસે જ ઉપલબ્ધ કરાવાયા છે. આથી બાકી રહેલા કોરોના મૃતકના પરિવારજનો સહાયથી વંચિત અથવા તો સહાય મેળવવામાં થોડી રાહ જોવી પડે તેમ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army