ઉત્તરાયણના બે દિવસના પર્વ દરમિયાન જ 23 વિસ્તાર નિયંત્રણ ઝોનમાં મુકાયા છે. મહા પાલિકાના તંત્ર દ્વારા નિયંત્રણ બોર્ડ ન લગાવતા સ્થાનિક આગેવાનો એ સતર્કતા દાખવવી શરુ કરી
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં કેસ આંશિક ઘટ્યા
માઈક્રો કન્ટેન્ટમેંટ ઝોનની સંખ્યા અમદાવાદમાં વધી
બે દિવસમાં 23 વિસ્તાર નિયંત્રણ ઝોનમાં મુકાયા
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં આંશિક ઘટાડો વર્તાઈ રહ્યો છે.પરંતુ શનિવારે મૃત્યુઆંક 7 જેટલો થતા ચિંતા પેસી છે. અમદાવાદમાં કેસ ની સંખ્યા પણ ઉત્તરોતર વધી છે. આ વચ્ચે મહાનગર પાલિકાએ માઈક્રો કન્ટેન્ટમેંટ ઝોન વધારી દીધા છે. અમદાવાદમાં સતત વધી કોરોનાનો કહેરઅમદાવાદમાં સતત વધી રહ્યો છે. ત્યારે ચિંતાનું કારણ એ છે કે, અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. આ પરિણામે માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા વધી છે. અમદાવાદમાં માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન 157 થયા છે.
નિયંત્રિત વિસ્તાર વધ્યા
ઉત્તરાયણના બે દિવસના પર્વ દરમિયાન જ 23 વિસ્તાર નિયંત્રણ ઝોનમાં મુકાયા છે. મહા પાલિકાના તંત્ર દ્વારા નિયંત્રણ બોર્ડ ન લગાવતા સ્થાનિક આગેવાનો એ સતર્કતા દાખવવી શરુ કરી છે. ઘણી ખરી સોસાયટીઓનાં મુખ્ય ગેટ બંધ રાખવા સોસાયટી ચેરમેને નિર્ણય લીધા છે. આ સોસાયટીઓમાં બહારના કોઇપણ વ્યક્તિ કે ગેસ્ટ પર પ્રતિબંધ લગાવાયો છે. દરમિયાન જોધપૂરના પૃથ્વી ટાવરને પણ નિયંત્રણ ઝોનમાં મુકાયો છે.