દુનિયાના અમીરોની સંપત્તિ દરરોજ રૂ.૨૨ હજાર કરોડ વધી રહી છે અને જો દુનિયાના અમીરો પર પાંચ ટકા ટેક્સ લગાવવામાં આવે તો એક વર્ષમાં અંદાજે ૧.૭ ટ્રિલિયન ડોલર એકત્ર કરી શકાય.
અબજોપતિઓની સંપત્તિમાં દરરોજ રૂ.22 હજાર કરોડનો જંગી વધારો
ભારતમાં એક ટકા અમીરોના હાથમાં દેશની ૪૦ ટકા સંપત્તિઃ ઓક્સફેમનો નવો રિપોર્ટ
ત્રણ વર્ષ માટે કુપોષણથી પીડિત બાળકોના પોષણ માટે રૂ.૪૦,૪૨૩ કરોડ પ્રાપ્ત કરી શકાય
સમગ્ર વિશ્વમાં તબાહી મચાવનાર કોરોના કાળના સમય બાદ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર તેની ખરાબ અસર પડવા પામી હતી. પણ આ ખરાબ પરિસ્થિતિમાં પણ ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ભારત યુકેને પછાડીને વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે.
ભારતમાં સૌથી અમીર એવા એક ટકા લોકો પાસે દેશની ૪૦ ટકાથી વધુ સંપત્તિ
ભારતમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઈ સતત વધી રહી છે. અસમાનતાની વધતી જતી ખાઈ અંગે ઓક્સફેમના નવા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં સૌથી અમીર એવા એક ટકા લોકો પાસે દેશની ૪૦ ટકાથી વધુ સંપત્તિ છે, જ્યારે નીચેની અડધા ભાગની વસ્તી પાસે કુલ સંપત્તિનો માત્ર ત્રણ ટકા હિસ્સો જ છે.
ભારતના સંદર્ભમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકના પ્રથમ દિવસે દાઓસમાં પોતાનો વાર્ષિક અસમાનતા રિપોર્ટ જારી કરતાં ઓક્સફેમ ઈન્ટરનેશનલે જણાવ્યું છે કે ભારતના ટોપ-૧૦ અમીરો પર જો પાંચ ટકા ટેક્સ લગાવવામાં આવે તો તેનાથી બાળકોને સ્કૂલમાં પરત લાવવા માટે જરૂરી તમામ નાણાં મળી જાય.
અબજોપતિ પર વર્ષ 2017 થી 2021 વચ્ચેના પ્રોફિટ પર ટેક્સ લગાવીને રૂ.1.79 લાખ કરોડ મેળવી શકાય
આ રિપોર્ટમાં જણાવાયું છે કે માત્ર એક અબજપતિ પર વર્ષ ૨૦૧૭થી ૨૦૨૧ વચ્ચેના પ્રોફિટ પર ટેક્સ લગાવીને રૂ.૧.૭૯ લાખ કરોડ મેળવી શકાય, જે રકમ એક વર્ષ માટે ૫૦ લાખથી વધુ ભારતીય પ્રાથમિક પૂરતી છે. ‘સર્વાઈવલ ઓફ ધ રિચેસ્ટ’ ટાઈટલ ધરાવતા આ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જો ભારતના અબજોપતિની સંપૂર્ણ સંપત્તિ પર બે ટકાના દરે એક જ વખત ટેક્સ લગાવવામાં આવે તો આ દેશમાં ત્રણ વર્ષ માટે કુપોષણથી પીડિત બાળકોના પોષણ માટે રૂ.૪૦,૪૨૩ કરોડ પ્રાપ્ત કરી શકાય.
ટેક્સ લગાવવામાં આવે તો 5 વર્ષમાં અંદાજે ૧.૭ ટ્રિલિયન ડોલર એકત્ર કરી શકાય
રિપોર્ટમાં જણાવાયું છે કે દુનિયાના અમીરોની સંપત્તિ દરરોજ રૂ.૨૨ હજાર કરોડ વધી રહી છે અને જો દુનિયાના અમીરો પર પાંચ ટકા ટેક્સ લગાવવામાં આવે તો એક વર્ષમાં અંદાજે ૧.૭ ટ્રિલિયન ડોલર એકત્ર કરી શકાય, જેના દ્વારા દુનિયાના બે અબજ લોકોને ગરીબીરેખામાંથી બહાર કાઢી શકાય.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે દેશના ટોપ-૧૦ અમીર અબજોપતિઓ પર માત્ર એક વખત પાંચ ટકાના દરે ટેક્સની જે રકમ થાય છે તે વર્ષ 2022-23 માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા અંદાજિત ભંડોળથી 1.5 ગણી વધુ છે.
1 ટકા વેલ્થ ટેક્સથી 1.5 વર્ષ સુધી ચાલી શકે નેશનલ હેલ્થ મિશન
1 ટકા વેલ્થ ટેક્સ લગાડવાથી ભારતની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ, નેશનલ હેલ્થ મિશન 1.5 વર્ષ સુધી ધમધોકાર ચાલું રહી શકે છે.
64 ટકા GST દેશની સામાન્ય જનતાએ ચૂકવી આપ્યો
બીજી બાજુ 14.83 લાખ કરોડના GSTમાંથી અંદાજે 64 ટકા GST દેશની 50 ટકા વસતીએ ચૂકવી આપ્યો છે તો ફક્ત 3 ટકા જીએસટી ટોચના 10 ટકા લોકોએ ચૂકવ્યો છે.