ભાવનગરમાં પણ અમદાવાદ જેવીજ સ્થિતી જોવા મળી છે. એટલે કે અહીયા પણ કુલ મૃત્યુઆંકની સામે ત્રણ ગણી સહાય માટે અરજી કરવામાં આવી છે. જેને કારણે હવે કોર્પોરેશન આપેલા આકડા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
ભાવનગરમાં પણ અમદાવાદ જેવીજ સ્થિતી
મૃત્યું આક સામે સહાય માટેની અરજીમાં ત્રણ ગણો વધારો
160 લોકોના મોત સામે 530 લોકોએ સહાય માટે કરી અરજી
કોરોનાથી મોત પામેલા વ્યક્તિઓના આકડાને લઈને હવે ગંભીર સાવલa ઉભા થઈ રહ્યા છે. સરકાર દ્વારા કોરોના મૃતકોના પરિવારને 50 હજારની સહાય આપવાની વાત કરવામાં આવી છે. જેને લઈને લોકોએ તે સહાય માટે ફોર્મ ભર્યા છે. પરંતુ મૃતકોના આંક સામે સહાય ફોર્મ વધારે ભરાઈ રહ્યા છે.
160ના સામે 530 અરજી આવી
ગઈકાલે અમદાવાદમાં આવુંજ બન્યું હતું જેમા મૃતકોના આક સામે સહાયની અરજીઓ વધી ગઈ હતી. ત્યારે આજે વધુમાં ફરી ભાવનગરમાં પણ આવુંજ બન્યું છે. અહીયા સરકારી ચોપડે 160નો મૃત્યું આંક બતાવી રહ્યા છે. જોકે સહાય માટે તબીબી સર્ટિફિકેટ સાથે અત્યાર સુધીમાં 530 અરજીઓ આવી છે. જ્યારે ગ્રામ્ય સરકારી ચોપડે 138 લોકોના મોત સામે 43 અરજીઓ સામે આવી છે.
મૃતકનો કોરોના ટેસ્ટ હોવો જરૂરી
સરકાર દ્વારા જે પણ લોકોને સહાય આપવામાં આવશે તેને લઈને અમુક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમા મૃતકનો કોરોના ટેસ્ટ હોવો જરૂરી છે. સાથેજ દર્દીનું મૃત્યું પણ 30 દિવસની અંદર થયું હોય તોજ તેને કોરોના ડેથ તરીકે માન્યતા આપવામાં આવશે. આ સિવાય કોરોનાની સારવાર ચાલતી વખતે જેનું મોત થયું હશે તેને પણ કોરોના ડેથ તરીકે ગણવામાં આવશે.
તંત્રને કુલ 3600 અરજી મળી
અમદાવાદમાં મ્યુનિસીપાલટી દ્વારા શહેરના 60 સિવિક સેન્ટર પર 250 લેખે 15 હજાર પરિશિષ્ટ-1 અરજી ફોર્મ મુકાયા હતા. જેનું વેચાણ પહેલાજ દિવસે થઈ ગયું છે. જોકે અરજીઓની વાત કરીએ તો કુલ 3600 અરજી તંત્રને મળી છે. જોકે તેની સામે તંત્ર દ્વારા 3357 મૃતકોના આંકડો આપવામાં આવ્યો હતો. જેથી આ મુદ્દે હવે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. જેમા પહેલો સવાલ તો એ ઉઠી રહ્યો છે કે શું મોતના આકડા સામે ફોર્મ વધારે લોકોએ ભરી કાઢ્યા છે ?
તંત્ર સામે ઉઠ્યા ગંભીર સવાલો
ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા હાલ સંક્રમણને કાબૂ લેવા માટે વેક્સિનેશન પર ઘણો ભાર આપવામાં આવ્યો છે. પરંતુ મૃતકોના આંકડાની સામે અરજી કરનારા લોકોની સંખ્યા વધી ગઈ છે. જેથી મોતના આકડા સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.