ગુજરાતમાં એકજ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. જેમા એક નવસારીમાં અકસ્માત સર્જાયો તેમા 3 લોકોના મોત થયા છે. જ્યારે ખેડામાં એક મહિલાનું મોત થયું છે.
મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત
ખેડામાં પણ સર્જાયો ગમખ્વાર અકસ્માત
ખેડમાં સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત
રાજ્યમાં આજે ઉપરા ઉપરી બે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જેમા કુલ 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે 48 પર એક ભયંકર અકસ્માત સર્જાયો. જેમા 3 લોકોના ઘટના સ્થળેજ મોત થયા હોવાનું સામે આવ્યું છે. તે સિવાય ખેડામાં પણ એક અકસ્માત સર્જાયો છે.
બાઈક પર સવાર મહિલાનું મોત
ખેડામાં કપડવંજ-નડિયાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. આ અકસ્માતમાં એક દંપત્તિ વાહન પર સવાર થઈને જઈ રહ્યું હતું તે સમયે અજાણ્યા વાહને તેને અડફેટે લીધું જેના કારણે બાઈક પર સવાલ મહિલાનું ઘટના સ્થળેજ કરૂણ મોત થયું હતું.
પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બિજી તરફ અકસ્માતમાં પતિ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાઈક પર સવાર દંપત્તિ કઠલાલ તાલુકના બગડોલ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને ફતિયાબાદ નર્મદા નહેર નજીક આ અકસ્માત તેમને નડ્યો જેના કારણે પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે.
3 યુવકોના ઘટના સ્થળે મોત
નવસારીમાં જે અકસ્માત થયો છે. તેમા કાર અને ટેન્કર ઘડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માત પણ એટલો ગંભીર હતો કે ઘટના સ્થળેજ 3 યુવકોના મોત થયા છે. નવસારી નજીક ધોળાપીપળા પાસે આ અકસ્માત સર્જયો. જેમા અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી જ્યા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.