કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવે આપી માહિતી
કેન્દ્રીય કેબિનેટની આજરોજ મળેલી બેઠકમાં ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરુ કરવાનો નિર્ણય લેવાયો છે. 2020માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતમાં ગ્બોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત કરી હતી તે માટે ભારત સરકાર સાથે કરાર પણ થયા હતા. જામનગરમાં શરુ થનાર આ સેન્ટર દુનિયાનું પહેલું એવું સેન્ટર હશે કે જેમાં પરંપરાગત ધોરણે આયુર્વેદ દવાઓ બનાવવામાં આવશે.
Union Cabinet chaired by PM Modi has approved establishment of WHO Global Centre for Traditional Medicine in India. The centre to be established in Jamnagar will be the first & only outposted office for traditional medicine world over: Union Minister Bhupender Yadav
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ભુપેન્દર યાદવે માહિતી આપી
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી ભુપેન્દર યાદવે કહ્યું કે જામનગરમાં શરુ થનાર આ સેન્ટર સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે પહેલી અને એકમાત્ર આઉટપોસ્ટેડ સેન્ટર હશે.
હવે જામનગરમાં બનશે પરંપરાગત દવાઓ
આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ અને ભારત સરકાર વચ્ચે એક કરાર કરાયો છે. સત્તાવાર નિવેદનમાં કહેવાયું કે જામનગરમાં શરુ થનાર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર તથા બીજી પહેલને કારણે ભારતને પરંપરાગત દવાઓ બનાવવામાં મોટી મદદ મળશે.
લોકોને મળશે પરંપરાગત દવાઓ
જામનગરમાં શરુ થનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર દુનિયાનું પહેલું આવું સેન્ટર હશે અને તેમાં પરંપરાગત દવાઓ બનાવાશે અને લોકોને સસ્તા દરની દવાઓ મળી રહેશે.
દુનિયાનું પહેલું ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર હશે
ભારતમાં વિશ્વના પ્રથમ ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાની જાહેરાત ડબ્લ્યુએચઓ દ્વારા ૨૦૨૦ માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે આ વખતે આયુષ મંત્રાલયને 3050 કરોડ રૂપિયા આપ્યા છે. તે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ખાસ કરીને આયુર્વેદ હશે. આની સીધી અસર દેશમાં પારંપરિક ચિકિત્સા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે તેમાં રોકાણમાં પણ જોવા મળશે. આ આયુર્વેદને માત્ર એક સારો તબીબી વિકલ્પ જ નહીં બનાવે, પરંતુ વૈશ્વિક તબીબી ક્ષેત્રે પણ ભારતને તેની પોતાની વિશેષ ઓળખ બનાવશે.