પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાનખાને ફરી એક વાર જમ્મુ-કાશ્મીરનાં લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પાકિસ્તાનનાં કબ્જા હેઠળનાં કાશ્મીરનાં લોકોને LoC પર જવા માટે પ્રોત્સાહિત કરતા જોવા મળ્યાં હતાં. તેઓએ લોકોને બંદૂક ઉઠાવવાની અપીલ કરી છે. ઉપરાંત ભારતે હવે કોઇ કાર્યવાહી કરી તો યુદ્ધ થશે તેવું પણ નિવેદન આપ્યું છે.
UNGAમાં ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવાશેઃ ઇમરાન ખાન
PoKમાં ઇમરાન ખાને કર્યું લોકોને ઉશ્કેરવાનું કામ
અમને મુસ્લિમ દેશો દ્વારા સમર્થન ના મળ્યું કેમ કે તેમનાં આર્થિક હિત ભારત સાથેઃ ઇમરાન ખાન
શુક્રવારનાં રોજ ઇમરાન ખાને PoKનાં મુઝફ્ફરાબાદમાં કાશ્મીરની 'એકતા' રેલીને સંબોધન કર્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું કે, 'કાશ્મીર માનવતાની વાત છે. હું સંદેશો નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માંગુ છું. ફક્ત એક બુદ્ધિશાળી વ્યક્તિ જ આની જેમ કાર્ય કરે છે. 40 દિવસથી બંધ રાખ્યું છે જેમાં માનવતાવાદ હોય છે તેઓ આવું ક્યારેય કરતા નથી.'
જમ્મુ-કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સ્તર પર ફટકો ખાધા બાદ પણ પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાન સતત નવા નવા નુસખાઓ અપનાવી રહ્યું છે. 'કાશ્મીર ઑવર' બાદ હવે ઇમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની રાજધાની મુઝફ્ફરાબાદમાં શુક્રવારનાં રોજ એક મોટી ઇવેન્ટમાં કહ્યું કે, UNGAમાં કાશ્મીરનો મુદ્દો ફરીથી ઉઠાવશે. આર્થિક હિતોને કારણ મુસ્લિમ દેશોએ પણ આ મુદ્દા પર અમારો સાથ નથી આપ્યો.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક ઇવેન્ટમાં કહ્યું કે, 'મે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવીશ અને પૂરી દુનિયાને આને વિશે જાણકારી આપીશ.' તેઓએ કહ્યું કે, કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને મુસ્લિમ દેશો દ્વારા સમર્થન ના મળ્યું કેમ કે તેમનાં ભારત સાથે આર્થિક હિત જોડાયેલા છે.
'જ્યારે કહું ત્યારે LoC પાર કરજો'
ઇમરાન ખાને કહ્યું કે, 'હું જાણું છું કે આપમાંથી અનેક લોકોએ લાઇન ઑફ કંટ્રોલ પાર કરવાની કોશિશ કરી છે પરંતુ હું આજે આપને કહું છું કે હજી LoC પાર કરવાની જરૂરિયાત નથી. આપ લોકો ત્યારે લાઇન ઑફ કંટ્રોલ પાર કરજો કે જ્યારે હું તમને જવાનું કહું.'
પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને આજે શુક્રવારનાં બપોરનાં જુમ્માની નમાઝ બાદ મુઝફ્ફરાબાદનાં લોકોને આ રેલીમાં ભાગીદારી કરવાનો હુકમ આપ્યો હતો. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, લોકોને ભેગાં કરવાની જવાબદારી PoKની ખાનગી પોલીસને સોંપવામાં આવ્યું.
પાકિસ્તાનની આર્થિક નિષ્ફળતાને છુપાવવાની કોશિશ
જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને નિષ્પ્રભાવી કર્યા બાદથી જ ઇમરાન ખાન પોતાની જનતાને ભારત વિરૂદ્ધ ભડકાવીને પોતાની સરકારની આર્થિક મોરચા પર નિષ્ફળતાને છુપાવવાની દરેક કોશિશ કરી રહ્યાં છે.
સૌ પહેલાં તો તેઓએ કાશ્મીર ઑવરનો નુસખો અપનાવ્યો. આ અંતર્ગત તેઓએ પોતાનાં દેશનાં લોકોને અપીલ કરી કે તેઓ દર શુક્રવારનાં બપોરે 12થી 12:30 વાગ્યા સુધી રસ્તાઓ પર નીકળ્યાં અને કાશ્મીરીઓને પ્રત્યે પોતાની એકજુટતા જાહેર કરી. પરંતુ તેમનાં આ અભિયાનમાં વધારે સફળતા નથી મળી.