છેલ્લા ઘણા સમયથી વોડાફોને અને આઈડિયા બજારમાં નબળી પડતી જાય છે જ્યારે જીઓ અને એરટેલ ભારતી પોતાનું વર્ચસ્વ જમાવતું જાય છે. જ્યારે હવે આ બંને કંપની પર દેવું વધતું જાય છે.
વોડાફોન - આઈડિયા નુક્શાનમાં
૫૩ હજાર કરોડનું લેણું છે
સરકાર તરફથી પુરતી રાહત મળતી નથી
મોદી સરકાર છેલ્લા કેટલાય ક્વાર્ટરથી જંગી ખોટ અને એજીઆરની બાકી નીકળતી જંગી રકમના કારણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલ ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાને ડૂબતી બચાવી શકશે નહીં. સરકાર વોડાફોન-આઇડિયાની ભલે ગમે તેટલી મદદ કરે, પરંતુ બજારમાં રિલાયન્સ જિઓ અને ભારતી એરટેલનો મુકાલબો કરી શકશે નહીં. વોડાફોન-આઇડિયા પાસે એજીઆર પેટે રૂ. ૫૩ હજાર કરોડ બાકી લેણા નીકળે છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ રકમ ૨૩ જાન્યુઆરી પહેલા ટેલિકોમ વિભાગને ચૂકવવાની હતી. વોડાફોન-આઇડિયાને સંકટમાંથી બચાવવા કેન્દ્ર સરકાર જો કોઇ તાત્કાલિક સહાય આપશે તો પણ તે સરકાર માટે મોંઘો સોદો પુરવાર થશે એવું ડોએચે બેન્કે એક યાદીમાં જણાવ્યું છે.
ભારતમાં ટેલિકોમ સેક્ટરના કાયદા કાનૂન સ્પષ્ટ નથી. વોડાફોન-આઇડિયાએ પણ સંકટમાંથી બહાર આવવા ટેરિફમાં ઘણો વધારો કરવો પડશે અને સરકાર તરફથી પૂરતી રાહત મેળવવી પડશે અને બજારનો શેર અકબંધ રાખવો પડશે પરંતુ આ ત્રણ જરૂરિયાતની પૂર્તતા કરી શકે તેમ નથી.