કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં ધોરણ-12 અને ધોરણ 10ના પરિણામો જાહેર થયાં છે અને એડમિશન પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે ત્યારે BSC નર્સિંગમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો મહત્વનો નિર્ણય
BSC નર્સિંગમાં હવે ધોરણ 12 મેરિટના આધારે પ્રવેશ અપાશે
BSC નર્સિંગમાં પ્રવેશ માટે NEET પરીક્ષા આપવી જરૂરી નહીં
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજ્ય સરકારના આ નિર્ણય અંગેની જાહેરાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયથી BSC નર્સિંગમાં ધોરણ 12 મેરિટના આધારે પ્રવેશ અપાશે.
BSC નર્સિંગમાં પ્રવેશ માટે NEET પરીક્ષા આપવી જરૂરી નહીં
ઉલ્લેખનીય છે કે, નિર્સિંગમાં પ્રવેશ માટે આ માટે NEET આધારિત પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે નહીં. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્યમંત્રી નીતિન પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય લીધો હતો.
12 સપ્ટેમ્બર, 2021ના રોજ યોજાશે NEET 2021 UGની પરીક્ષા
આપને જણાવી દઈએ કે NEET 2021 UG પરીક્ષા આગામી 12 સપ્ટેમ્બર, 2021 ના રોજ યોજાનારી છે. આ પરીક્ષા દેશની 13 ભાષાઓમાં લેવામાં આવશે. તે જ સમયે, પરીક્ષા સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને મેળવી શકે છે.