લૉકડાઉન 3.0માં કયા ઝોનમાં કેટલી રાહત અને કેટલા પ્રતિબંધ અંગે ગાંધીનગરથી CMO સચિવ અશ્વિનિકુમારની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને ભાવનગરમાં પ્રતિબંધ યથાવત્ રહેશે. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતા કડક પ્રતિબંધ રહેશે. સાથે 6 નગરપાલિકાઓમાં પણ દુકાનો ખોલવાની મંજૂરી નહીં મળે. જેમાં બોટાદ, બોપલ, ખંભાત, ગોધરા બારેજા, ઉમરેઠ કોઈ છૂટછાટ નહીં મળે.