VTV દ્વારા 2 દિવસ પહેલા પાટણના સમી તાલુકાના વાઘપુર ગામનો પાણીનો અહેવાલ બતાવવામાં આવ્યો હતો. ત્યારે હવે VTVના અહેવાલની અસર થઈ છે. VTVના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે અને બંધ બોરને ચાલુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહત્વનુ છે કે વાઘપુરા ગામમાં છેલ્લા 4 મહિનાથી બોર બંધ હતું. જેના કારણે ટેન્કરો મંગાવીને પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે હવે બોરને શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે પાટણ જિલ્લાના સમી તાલુકાના અંતરીયાળ એવા વાઘપુરા ગામે છેલ્લા ચાર મહિનાથી પાણીની વિકટ સર્જાઈ હતી અને પીવાના પાણીની સમસ્યા આખું ગામ હતું ટેન્કર આધારિત હતું.
શાળાના બાળકો વૃધ્ધો મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા હતા. ત્યારે છેલ્લા ચાર મહિનાથી ચાલતા ટેન્કર રાજનો અહેવાલ બે દિવસ પૂર્વે વી.ટીવી ન્યુઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ આ અહેવાલ બાદ તંત્ર સજાગ થઇ ગયું હતું અને તાત્કાલિક અસરથી ઘટના સ્થળની મુલાકાત લઇને ગામના બંધ પડેલા બોરને રિપેર કરાવવાની કામગીરી હાથ ધરી હતી.