ભારતના હવામાન વિભાગના આઘારે ભારે દબાણના કારણે તૌકતે (Tauktae)એ ખતરનાક રૂપ ધારણ કર્યું છે. શનિવારે આ ખતરનાક ચક્રાવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને તેને લઈને એલર્ટ પણ જાહેર કરાયું છે.
IMDએ જાહેર કર્યું એલર્ટ
ખતરનાક ચક્રાવાતી તોફાનમાં ફેરવાઈ રહ્યું છે તૌકતે
ભારે દબાણના કારણે ખતરનાક બન્યું છે તૌકતે
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આ ખતરનાક તોફાન અરબ સાગર પરના ઓછા દબાણના કારણે 17મે સુધી ખતરનાક ચક્રવાત તોફાનમાં ફેરવાઈ શકે છે. 18મે સુધી તે ગુજરાતના અનેક તટને પાર કરશે અને સાથે હવામાનના ખાસ પ્રભાવના કરાણે આ ખતરનાક રૂપ લઈ રહ્યું છે. શનિવાર સુધીમાં તે ભારે તોફાની બની શકે છે. આ કારણે એલર્ટ જાહેર કરાયું છે. તૌકતે તોફાન ગોવા અને દક્ષિણ કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદ લાવી શકે છે.
#CycloneTauktae, once formed, is likely to intensify into a ‘very severe cyclonic storm’ with wind speed of 150 to 160 kmph gusting to 175 kmph on May 17https://t.co/yDTVC2sNYh
કેવી રહેશે હવામાનની ગતિ
વાવાઝોડાની અસર 16થી 19 મે સુધી ગુજરાત પર રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધુ અસર રહેશે. 18 અને 19 મે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે દ્વારકા, જામનગર, ભાવનગરમાં અસર જોવા મળશે. રાજકોટ, કચ્છ અને માંડવિ સહિતના વિસ્તારોમાં અસર જોવા મળશે. હવામાન વિભાગ મુજબ 16મીથી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ સાથે 150-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
Jhajjar, Bawal, Nuh, Rewari, Bhiwari, Bhiwani, Sohana, Palwal, Hodal, Manesar, Gurugram, Faridabad, Farukhnagar, Tizara, (Haryana), Barsana, Jattari, Khair, Mathura (U.P.) and adjoining areas during next 2 hours. pic.twitter.com/MVIX4VPOme
— India Meteorological Department (@Indiametdept) May 15, 2021
કઈ તારીખોએ રહેશે વધારે પ્રભાવ
તૌક્તોના કારણે હવામાન વિભાગે પશ્ચિમી તટીય રાજ્યોને સતર્ક કર્યા છે. આ સમયે 15મેના રોજ કેટલાક સ્થાનોએ ભારેથી અત્યંત ભારે તથા કેટલાક સ્થાનો પર 16-17મેના રોજ ભારે વરસાદની શક્યતા છે.
15-05-2021; 0710 IST; Thunderstorm with light to moderate intensity rain with wind speed 20-40 kmph would occur over Many places of Southwest, South, West, Northwest Delhi, Kotputly, Alwar, Bharatpur, Bayana (Rajasthan), Farukhnagar, Kosli, Matanhail,
— India Meteorological Department (@Indiametdept) May 15, 2021
અહીં અપાયું એલર્ટ
તૌકતે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલથી વાતાવરણમાં પલટો જોવા મળશે. 15 તારીખે દ્વારકા, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમરેલી અને કચ્છ, તાપી, આહવા, દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે. 16 તારીખે જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. 17 તારીખે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 18 અને 19 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
Deep Depression intensified into a Cyclonic Storm “Tauktae” (pronounced as Tau’Te) over Lakshadweep area and adjoining southeast & eastcentral Arabian Sea: Cyclone watch for south Gujarat & Diu coasts. https://t.co/KLRdEFp9rJpic.twitter.com/ed435mJ9x9
— India Meteorological Department (@Indiametdept) May 14, 2021
21 વર્ષમાં પ્રથમ વખત બનશે આવું
છેલ્લા 21 વર્ષમાં પ્રથમ વખત એવું બનશે કે કોઈ વાવાઝોડું મે મહિનામાં ત્રાટકશે. એક રિપોર્ટ મુજબ મે મહિનામાં છેલ્લે 2011માં ગુજરાતના તટે પહોંચનારું વાવાઝોડું ARB O1 હતું. આ વાવાઝોડાની અસર 2001માં 21 મેથી લઈને 28 મે સુધી જોવા મળી હતી. તે સમયે અત્યંત ગંભીર વાવાઝોડું હતુ જે 22 મે 2001 સોમાલિયાના તટ પર વિકાસ થયો હતો. 215 કિ.મીની ઝડપથી ચાલતી હવાઓ સાથે તે અરબ સાગરનું સૌથી મજબૂત અને ખતરનાક વાવાઝોડું હતું. જો કે 2007માં સુપર સાઈક્લોન ગોનુએ તેને પછાડ્યું હતું. ગુજરાત પહોંચનારું અંતિમ ચક્રવાત ARB O1 ઉત્તરી અરબ સાગરમાં ગુજરાત તટથી નબળું પડી ગયું હતું.