તમે ક્યાં રોકાણ કરી શકો છો, જેથી તમારા પૈસા સુરક્ષિત રહે અને તમને વધુ સારું વળતર મળી શકે. આજે અમે તમને એવી જ રોકાણ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ..
રોકાણ માટે પોસ્ટ ઓફિસ સ્કીમ ઘણી ઉપયોગી
1 જાન્યુઆરીથી પોસ્ટ ઓફિસની સ્કીમ પર વ્યાજદરમાં વધારો
આ યોજનાઓનો લાભ લઈને તમે મોટી કમાણી કરી શકો છો
ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળે છે જે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે કોઈ પણ બચત ન કરતું હોય. લોકો જે કંઈ પણ કમાય છે તેનાથી દરરોજનો ખર્ચો તો કાઢી જ લે છે પણ એ સાથે જ લોકોએ તેમની આવતીકાલ માટે પણ બચત કરવી જરૂરી છે. બચત કરવા માટે અલગ અલગ રસ્તા હોય છે, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પૈસા બચાવે છે, તો કોઈ વ્યક્તિ આ પૈસાને એવી જગ્યાએ રોકાણ કરે છે કે તેને ભવિષ્યમાં સારું વળતર મળી શકે. જો તમે પણ રોકાણ કરી રહ્યા છો કે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે તમે ક્યાં રોકાણ કરી શકો છો, જેથી તમારા પૈસા સુરક્ષિત રહે અને તમને વધુ સારું વળતર મળી શકે. આજે અમે તમને એવી જ રોકાણ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ..
જો તમે રોકાણ કરીને કમાણી કરવાનું વિચારી રહ્યા છો આ પોસ્ટ ઓફિસ સ્કીમ્સ તમારા માટે વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જણાવી દઈએ કે આ યોજનાઓમાં પોસ્ટ ઓફિસ સારા વ્યાજ દર આપે છે. એટલા માટે જે લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે અહીં પોસ્ટ ઓફિસ દ્વારા તમને કેટલીક વિશેષ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની એવી 5 સ્કીમો છે જેના વ્યાજ દરમાં તાજેતરમાં વધારો થયો છે અને તમે આ યોજનાઓનો લાભ લઈને તમે મોટી કમાણી કરી શકો છો. મહત્વની વાત એ છે કે 1 જાન્યુઆરીથી પોસ્ટ ઓફિસે તેની તમામ સ્કીમ પર વ્યાજદરમાં વધારો કર્યો છે, જેના કારણે લોકોને વધુ વ્યાજ દરોનો લાભ લેવાની સારી તક મળી છે.
1. માસિક આવક યોજના
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ (POMIS)નો વ્યાજ દર 6.7% થી વધીને 7.1% થયો છે. જણાવી દઈએ કે આ ખાતું ખોલવા માટે ઓછામાં ઓછા 1000 રૂપિયાની જરૂર છે. સંયુક્ત ખાતામાં મહત્તમ બેલેન્સ રૂ.9 લાખ જ્યારે એક ખાતામાં મહત્તમ બેલેન્સ રૂ.4.5 લાખ છે. ખાતું ખોલવાની તારીખથી પાકતી મુદત સુધી દરેક મહિનાના અંતે વ્યાજ ચૂકવવામાં આવશે. આ એક એવી સ્કીમ છે પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે અને તેને બજારના ઉતાર-ચઢાવની અસર થતી નથી.
2. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ
પોસ્ટ ઑફિસ ટાઈમ ડિપોઝિટ ડિપોઝિટમાં ચાર કાર્યકાળ વિકલ્પો છે: એક, બે, ત્રણ અને પાંચ વર્ષ અને તેમાં કોઈ મહત્તમ રોકાણ રકમ પર કોઈ મર્યાદા નથી પણ ખાતું ખોલવા માટે લઘુત્તમ રૂ.1000નું રોકાણ જરૂરી છે.
-રોકાણકારને 1 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.6% વ્યાજ મળી રહ્યું છે, જે પહેલા 5.5% હતું.
-બે વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.8% વ્યાજ મળી રહ્યું છે, જે પહેલા 5.7% હતું.
-ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.9%ના દરે વ્યાજ મળશે, જે પહેલા 5.8% હતું.
-5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 7%ના દરે વ્યાજ મળે છે, જે પહેલા 6.7% હતું.
3. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs) પરનો વ્યાજ દર જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે 6.8% થી વધીને 7% થયો છે. આ યોજનામાં તમારે લાંબા સમય સુધી પૈસા જમા કરાવવાની જરૂર નથી. આ યોજના માત્ર 5 વર્ષમાં પરિપક્વ થાય છે.
4. સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર 1 જાન્યુઆરીથી વધારીને 8.0% કરવામાં આવ્યો છે, જે પહેલા 7.6% હતો. 60 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ યોજના માટે પાત્ર છે. જણાવી દઈએ કે જેઓ 55 વર્ષથી વધુ ઉંમરના છે ન 60 વર્ષથી ઓછી વયના છે અને તેઓ નિવૃત્ત વ્યક્તિઓ છે તો તેઓ 1000 રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીની કોઈપણ રકમનું રોકાણ કરીને ખાતું ખોલાવી શકાય છે. એકાઉન્ટ દર ત્રણ મહિને વ્યાજ ચૂકવે છે.
5. કિસાન વિકાસ પત્ર
કિસાન વિકાસ પત્ર (KVP) પર 1 જાન્યુઆરીથી વ્યાજ દર 7.0% થી વધારીને 7.2% કરવામાં આવ્યો છે. આમાં, વ્યાજના દર અનુસાર, તમારી રકમ 120 મહિનામાં (10 વર્ષ) બમણી થાય છે.
વ્યાજની રકમ દર વર્ષના અંતે ખાતામાં ઉમેરવામાં આવે છે અને ચક્રવૃદ્ધિ વ્યાજના હિસાબે રકમ સતત વધતી જાય છે.
KVP માં માત્ર રૂ 1000 થી રોકાણ શરૂ કરી શકો છો અને ત્યાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નિશ્ચિત નથી.
પાકતી મુદત પછી મળેલી રકમ પર કોઈ ટેક્સ કાપવામાં આવતો નથી.